ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાંથી વિધાનસભા 2017ની ચૂંટણી સમયે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં રિવરફ્રન્ટ સહિત અનેક યોજનાઓના ખાત મૂહુર્તોમાં હજારો મિલિયન એકર ફૂટ પાણી વેડફવામાં આવ્યું છે. આ પાણી બગાડને કારણે ગુજરાતના ખેડૂતો ઉનાળાનો પાક લઈ શકશે નહીં. આ ઉપરાંત ઉનાળામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની પણ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. પાણીની આ તંગી પીએમ મોદીએ ઉડાવેલા સી-પ્લેન માટે અને બીજા ખાત મૂહુર્તોમાં થયેલો બગાડ જવાબદાર હોવાનું માનવમાં આવે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પાણી વપરાયું હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 1 જુલાઈ 2017થી 31 ડિસેમ્બર 2017 સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટમાં 58.54 મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન જ ગુજરાતની બીજેપી સરકારે રિવરફ્રન્ટના નામે મત માગ્યા હતા. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કાના છેલ્લા દિવસે રોડ શો કરવાની મંજુરી ના મળતા અમદાવાદથી અંબાજી સુધી રિવરફ્રન્ટમાંથી સી-પ્લેન ઉડાડ્યું હતું. આ સી-પ્લેન માટે રિવરફ્રન્ટમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોનું પાણી સી-પ્લેન ઉડાડવા માટે વાપરવામાં આવ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.