કોરોના કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની એલ. જે ઇન્સ્ટિટ્યૂટના ફાર્મસી કેમ્પસના ડાયરેક્ટરે હર્બલ સેનીટાઈઝર બનાવ્યું છે. આ સાથે મીણબતી પણ બનાવી છે જેનાથી આખો રૂમ સેનિટાઇઝ થઈ જતો હોવાનો દાવો આ પ્રોફેસર એ કર્યો છે. દુનિયા ભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને ભારત દેશ પણ કોરોનાની દહેશતમાંથી બાકાત રહ્યું નથી. કોરોનાએ સેનેટાઇઝરની માંગ વધતા તેના કાળા બઝાર થઇ રહ્યા છે. માર્કેટમાં સેનિટાઈઝરની અછત પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની એલજે ઇન્સ્ટિટ્યૂટના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. પુનરીકે હર્બલ સેનિતાઈઝર બનાવ્યું છે. હર્બલ સેનિતાઈઝર અંગે તેઓએ દાવો કર્યો છે કે સામાન્ય સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે. જેથી સેનેટાઇઝરનો લાંબા સમયનો ઉપયોગ નુકશાનકર્તા સાબિત થઇ શકે છે. જયારે આ સેનિટાઈઝરમા ઓછા પ્રમાણમા આલ્કોહોલ છે. તેમાં હળદર, હરડે, લીમડો-વેગેરે જેવી હર્બલ વસ્તુ છે. તે હાથ પર રહેશે તો નુકશાન નહી થાય. હલદી, હરડે, નીમ થઇ કિટાણુંનો નાશ થઈ જાય છે. હર્બલ રહેવાના કારણે હાથમાં કલર રહેશે પરંતુ અન્ય સેનિતાઈઝર કરતા તેની અસર વધારે રહેશે. આ ઉપરાંત આ પ્રોફેસરે મીણબતી પણ બનાવી છે. તે સળગશે પણ ધુમાડો નહિ નીકળે. તેની અસર વધારે સમય રહેશે. આ ધૂપથી આખો રૂમ સેનિટાઈઝ થઈ જશે તેવો દાવો તેમને કર્યો છે. લેમન ગ્રોસ, હરડે, ગુગલ, સલ્ફર, લીમડાનું તેલ આ તમામ વસ્તુનો ઉપયોગ કરી મીણબતી બનાવવામાં આવી છે. મહત્વનું છે કે હાલ જ્યારે કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે તેવામાં આ એલ. જે ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે બનાવેલ આ સેનિટાઈઝર મીણબતી જો આગામી સમયમા માર્કેટમા આવશે તો લોકો માટે ફાયદાકારક સાબિત થશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.