AI plane crash: અકસ્માતની તપાસ માટે અધિકારીક તપાસ શરૂ
AI plane crash: અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી એર ઈન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટના સમગ્ર દેશ માટે ભયાનક અને દુઃખદ બનાવ બની રહી. દુર્ઘટના બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે આત્માને ભેદી નાખે એવા હતા. મૃતદેહો રસ્તાઓ પર હતા, અને વિમાનના અવશેષો ભસ્મસાત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, વિમાનમાં રહેલા 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત બચી હતી. બાકીના તમામ લોકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટનાનું કારણ એટલું ભયાનક હતું કે અકસ્માત પછી આખું વિસ્તારમાં તાપમાન આશરે 1000° સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
વિમાન દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર બની ગયો ભઠ્ઠી
વિમાને ઉડાન ભર્યા પછી થોડી જ ક્ષણોમાં ટેકઓફ અને તરત જ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીકના મેઘાણીનગર વિસ્તારમાં ડોક્ટરોની હોસ્ટેલ તથા નર્સિંગ સ્ટાફના રહેણાંક સંકુલ પર ધડાકાભેર ટકરાયું. 1,26,907 લિટર જેટલું બળતણ સાથે વિમાને જમીન પર પલટો મારી દીધો હતો, જે તરત જ આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગયું. બ્લાસ્ટ એટલો મોટો હતો કે દૂરથી જ ગાઢ કાળો ધુમાડો નજરે પડતો હતો.
બચાવ કાર્યમાં ગંભીર અડચણો, પ્રાણીઓ-પક્ષીઓ પણ ન બચી શક્યા
રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળના સદસ્યોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટનાની દૃશ્યાવળી એટલી ભયાનક હતી કે PPE કિટ પહેરવાથી પણ બચાવ કાર્ય સરળ નહોતું. રસ્તા પર આવેલા તમામ પાળતુ પ્રાણીઓ અને પક્ષીઓ પણ ભટાકીને રહેણાંક વિસ્તારમાં જ રાખ બની ગયા હતા. તાપમાન એટલું ઉંચું હતું કે માનવ દેહોની ઓળખ પણ મુશ્કેલ બની ગઈ હતી.
વિમાન ટેકઓફ સમયે લગભગ 625 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે જ તેના એન્જિનોમાં ધડાકો થયો હોવાનું અનુમાન છે. એક પછી એક વિસ્ફોટથી વિમાનના ભાગો છૂટા પડી ગયા હતા અને જ્યા પડ્યું તે વિસ્તારો ભસ્મ થઈ ગયા. દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 266 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
આ દુર્ઘટના દેશના વિમાન ઇતિહાસમાં 1996 પછીનું સૌથી મોટું દુર્ઘટનાકાંડ સાબિત થઈ છે. વિમાન અકસ્માત તપાસ બ્યુરો દ્વારા હવે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિસ્ફોટ બાદ દાહક તાપમાને જગ્યા ખલાસ કરી
વિમાન દુર્ઘટના પછી તાપમાન એટલું ઉંચું હતું કે બચાવ દળો અંદર પ્રવેશ પણ કરી શકતા નહોતા. વળી, વિમાનની જ્વાળાઓથી આસપાસના વૃક્ષો, વાહનો અને ઈમારતો પણ આગની લપેટમાં આવી ગયા હતા. તમામ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ અને ફોરેન્સિકની મદદ લેવાઈ રહી છે.
આ દુર્ઘટના માત્ર એક વિમાનનો નથી, એ એક સમગ્ર માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના બની છે. હવે જરૂરી છે કે સુરક્ષા પગલાંઓની તાકીદે સમીક્ષા અને પાયમાળ તંત્ર સામે જવાબદારી નક્કી થાય.