Air India Boeing 787 crash 2025: બોઇંગ 787 નો સુરક્ષિત ઈતિહાસ
Air India Boeing 787 crash 2025: અમદાવાદની દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં 242 યાત્રીઓ હતા. જાણકારોના માટે આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે બંને એન્જિનો અચાનક બંધ થઈ ગયા હતા – જે કંઈ સહેલું શક્ય બનતું નથી.
વિમાન ચલાવનાર પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલ અને સહ-પાઇલટ ક્લાઇવ કુંદર હતા. કેપ્ટન પાસે 8200 કલાક અને કોપાઇલટ પાસે 1100 કલાકનું ઉડાન અનુભવો હતો. તેમ છતાં આટલી મોટી વિમાની તકલીફ કે તે પણ બે એન્જિન સાથે, બધાને આશ્ચર્યમાં મૂકી દે છે.
બોઇંગ 787-8 એ લગભગ 14 વર્ષથી સેવામાં છે અને તેની સલામતી રેકોર્ડ શ્રેષ્ઠમાં ગણાય છે. ત્યારે આવા અકસ્માત પાછળ શું કારણ હોઈ શકે? શું તે તકનીકી ખામી છે? કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સના નિષ્ફળતાનું પરિણામ?
વિમાનમાં ટ્રિપલ રિડન્ડન્સી સિસ્ટમ છે — એટલે ત્રણ અલગ-અલગ ફેલસેફ સિસ્ટમો કાર્યશીલ હોય છે. એકે પણ નિષ્ફળ જાય તો બીજું કાર્ય કરે. એન્જિનો પર લાગેલા છ પાવર જનરેટર (દરેક 250KW) વિમાની તમામ ઇલેક્ટ્રોનિક અને સલામતી સુવિધાઓ ચલાવે છે.
જો એ બધું નિષ્ફળ જાય તો પણ લિથિયમ-આયન બેટરી અને રેમ ટર્બાઇન વડે વિમાનનું નિયંત્રણ હાથે રાખી શકાય છે. છતાં કેમ પાયલોટ્સ વિમાનને હેન્ડલ ન કરી શક્યા? કેમ કોઈ એન્જિન પુનઃશરુ નહીં થયુ ?
એટીસી કે રડાર પર પણ પક્ષીઓ અથડાવાની કોઈ દ્રષ્ટિ ન રહી. તો શું વિમાની ફ્લાય-બાય-વાયર સિસ્ટમમાં ખામી આવી? કે પછી પાવર સપ્લાય સમગ્ર રીતે ખોરવાઈ ગઈ?
એફએએ અને એનટીએસબી તરફથી ભારતને સહાય કરવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી છે. શંકાની સોય હવે ફક્ત મશીનો તરફ નહીં, માનવ ભૂલ અને સાયબરસિક્યુરિટી તરફ પણ ગઈ છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર પર વિશ્વાસ હતો, પણ હવે એ પણ પ્રશ્નચિહ્ન હેઠળ છે.