Air India plane crash Ahmedabad પ્લેન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના રહેણાંક બિલ્ડિંગ સાથે અથડાયું, એરપોર્ટ બંધ, PM અને અમિત શાહે રાહત કામગીરી માટે સૂચનાઓ આપી
Air India plane crash Ahmedabad અમદાવાદ, ૧૨ જૂન – શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે બપોરે ભારે દુર્ઘટના બની, જ્યાં એર ઇન્ડિયાનું બોઇંગ 171 નંબરનું વિમાન ટેકઓફ પછી માત્ર બે મિનિટમાં ક્રેશ થયું. ફ્લાઈટ Ahmedabad થી London (Gatwick) જઈ રહી હતી અને તેમાં લગભગ ૨૦૦ જેટલા મુસાફરો તેમજ ક્રૂ સભ્યો હાજર હતા.
વિમાન સીધું જ સિવિલ હોસ્પિટલ નજીકના ડોક્ટરોના હોસ્ટેલ બ્લોક પર અથડાયું. ઘટના એટલી ગંભીર હતી કે સમગ્ર બિલ્ડિંગ સળગી ઉઠ્યું અને આસપાસના વિસ્તારોમાં પણ આગ ફાટી નીકળી. અત્યાર સુધીમાં ૫૦થી વધુ મૃતદેહો મળી ચૂક્યા છે, જેઓ બળીને ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં છે. હોસ્પિટલમાં ઘાયલોની ઉમટેલી ભીડને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
વિમાન ક્રેશ થયા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષાના પગલાં તરીકે નજીકના તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ સેવાઓ અનિશ્ચિત સમય માટે રોકી દેવાઈ છે.
ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમોની સહાયતા અને તમામ કેન્દ્ર સરકારની મદદ ઉપલબ્ધ રહે તેવી ખાતરી આપી. મુખ્યમંત્રીએ તમામ હોસ્પિટલોમાં તાત્કાલિક સારવારની સુવિધા, ગ્રીન કોરિડોર અને ડોક્ટર ટીમોની તાત્કાલિક હાજરી સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે.
આ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે અને દુઃખદ દ્રશ્યોની વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.