Air India Services: તાજેતરના સરવેમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Air India Services: 12 જૂનના અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદથી ‘Air India Services’ પર મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો છે. ફ્લાઇટ AI171ના અકસ્માતે એયરલાઇનના જાળવણી, સુરક્ષા તથા ગ્રાહક સેવાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલ સરવેમાં મુસાફરોના અનુભવોના આધાર પર ચોંકાવનારા તારણો સામે આવ્યા.
જાળવણી અને સલામતી પર પ્રશ્નચિહ્ન
સરવે મુજબ, લગભગ 79 ટકા મુસાફરો માને છે કે એર ઇન્ડિયાની વિમાન જાળવણી અત્યંત ખરાબ છે. જયારે 2024માં માત્ર 55 ટકા મુસાફરોએ જાળવણી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો, એ આંકડો હવે ઘણો વધી ગયો છે.
ફ્લાઇટ AI171 દુર્ઘટના બાદ ચિંતા વધી
12 જૂનના રોજ, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં સવાર 242 લોકોમાં માત્ર એક જ મુસાફર બચી શક્યો હતો. ઉપરાંત, જમીન પર 34 લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા.
દેશભરના 15,000 મુસાફરોનો સરવે
દેશના 307 જિલ્લામાંથી લગભગ 15,000 મુસાફરો સરવેમાં સામેલ થયા હતા. તેમાં 63% પુરુષો અને 37% મહિલાઓનો સમાવેશ થાય છે. સરવેમાં Tier-1 શહેરના 44%, Tier-3 શહેરના 26% અને Tier-4 તથા ગ્રામ્ય વિસ્તારોના 30% લોકોએ ભાગ લીધો.
સેવાઓ અંગેની મહત્વપૂર્ણ ફરિયાદો
48% મુસાફરોનું કહેવું હતું કે તેમને સામાન સંભાળવામાં મુશ્કેલી આવી
36% મુસાફરો મનોરંજન સેવાઓથી અસંતુષ્ટ રહ્યા
31% મુસાફરો ગ્રાહક સેવા તથા ખોરાકની ગુણવત્તાથી નારાજ રહ્યા
કેટલાક મુદ્દાઓમાં સુધારો નોંધાયો
ફ્લાઇટ સમયસર ઉડાન ભરતી હોવાના મામલામાં સુધારો થયો, 2024માં 69% ફરિયાદો હતી જે હવે ઘટીને 46% થઈ ગઈ.
સ્ટાફના વર્તનમાં પણ સુધારો જોવા મળ્યો, જે 38%થી ઘટીને 31% થયો.
DGCA દ્વારા તપાસ શરૂ
ફ્લાઇટ AI171 દુર્ઘટના બાદ DGCAએ તપાસ શરૂ કરી છે. ક્રૂ રોસ્ટરિંગમાં બેદરકારી માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. DGCAએ ચેતવણી આપી છે કે આવી ઘટના ફરી બનશે તો એયરલાઇનનું લાઇસન્સ રદ્દ થઈ શકે છે.
મુસાફરોની માંગ: ઉચ્ચસ્તરીય સમિતિ જરૂરી
મુસાફરોનું કહેવું છે કે DGCA તથા CCPA સાથે મળી એક ઉચ્ચસ્તરીય સમિતિ રચવી જોઈએ, જે ફરિયાદોનો યોગ્ય નિરાકરણ લાવે અને એયરલાઇન ક્ષેત્રમાં સેવાના ધોરણોમાં સુધારો કરે.