સુરત તથા દક્ષિણ ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું જોખમ ટળી ગયું છે, પરંતુ આ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઇ જતાં ભારે નુકસાન થયું છે આથી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી રાહત આપવામાં આવશે. ઓખીને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમને વળતર આપવામાં આવશે.
કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ અંગે એક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીક આવતાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.