દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. એફ આઈ આર નોધાયા બાદ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયાના 11 મહિના બાદ ધરપકડ થઈ હતી. આશા ઠાકોર પોતાના ખેતરમાં છૂપાયા હતા. આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ પકડયા હતા. આશાબેન ચેરમેનના સમય દરમિયાન કાયમી ચેરમેનની ઓફિસમાં બેસતાં ન હતાં અને ચેરમેનની ઓફિસની બાજુની ઓફિસમાં બેસતાં હતાં. જ્યારે કાયમી ચેરમેનની ઓફિસમાં વિપુલ ચૌધરી બેસતા હતા. વિપુલ ચૌધરી અત્યારે વિદેશના પ્રવાસે છે. તેમની પર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ હતો.
કૌભાંડમાં વાઇસ ચેરમેન આશાબેન ઠાકોરની વતન કહીપુરથી ધરપકડ કરી હતી. 7 જુલાઈ 2021ના રોજ દૂધસાગર ડેરીના ઘી ભેળસેળ કૌભાંડમાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર 15 દિવસે જામીન ઉપર મુક્ત થયાં હતાં. પરંતુ, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે બોનસ પગાર કૌભાંડ મામલે પુન: ધરપકડ કરી હતી.
પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઇ દેસાઇ અને એમડી નિશિથ બક્ષીએ ડિફોલ્ટ જામીન અરજી મૂકી હતી.
સરકારી વકીલ વિજયભાઈ બારોટ હતા. બજારમાંથી જથ્થો પરત ન લીધો. બેચ નંબ૨ના ઘીમાં પામોલીનની ભેળસેળ માલુમ પડી છે તેનો 512 ટન જથ્થો બજા૨માં હતો. તે પરત ખેંચવામાં આવ્યો ન હતો. લોકો તે ઘી ખાઈ ગયા હતા.
વિસનગર DYSP દ્વારા 450 પાનાનું આરોપનામું રજૂ કર્યું હતું. ipc કલમ 406, 409, 272, 273 અને 120 બી મુજબનો ગુનો હતો. ભેળસેળ કરવાનું કૌભાંડ રાજસ્થાન પોલીસે ઝડપ્યું હતું. રાજસ્થાન પોલીસે કૌભાંડમાં 90 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ એમડી નીશિથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર બજરંગ ટ્રાન્સપોર્ટના અમરત ચૌધરી વિરુદ્ધ સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. તપાસ ટીમે 58 સાક્ષીની જુબાની લીધી હતી. પુન્હા પ્લાન્ટના જવાબદાર અધિકારીઓ અશોક રાવ અને રાકેશ આર્યાને વોન્ટેડ દર્શાવાયા હતા. દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પણ પકડાયા હતા. તપાસનીસ અધિકારીએ મહેસાણા કોર્ટમાં 4 નવેમ્બરે એટલે કે, 91મા દિવસે કોર્ટમા ચાર્જશીટ કરેલી હતી.
અમૂલ ઘી મહેસાણાના કડીના વેપારી નવશાદ નામના શખ્સે ભેળસેળ યુકત અમૂલ ઘીનો જથ્થો મોકલાવ્યો હતો. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળ બાદ ઘીના વેચાણમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નાશ ન કર્યો
ભેળસેળયુક્ત ઘીના જથ્થાનો નાશ કરવા ફેડરેશને જણાવ્યું હોવા છતાં ડેરીના સત્તાધીશો દ્વારા ઘીનો નાશ નહીં કરી ગંભીર પ્રકારનો ગુનો કરાયો હોવાનો આરોપ મૂકાયો હતો.
ઘી પશુઓને ખવડાવી દીધું
15 મે 2021ના રોજ પામ ઓઇલ યુક્ત ભેળસેળ વાળું 900 મેટ્રિક ટન ઘીના જથ્થાનો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા માટેની એફ એસ એસઆઈએ મંજૂરી આપી હતી. દૂધસાગર ડેરીએ પશુ આહાર તરીકે વપરાશ કરવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 900 મેટ્રિક ટન ઘીનું લિટર દીઠ રૂપિયા 225 માં વેચાણ કરવાનું હતું.
પ્લાંટ
મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળવામાં આવતું હતું આ ખતરનાક લિક્વિડ 8 ઓગસ્ટ 2020માં પકડાયું તે ઘીમાં ‘A.C. કેમ’ નામનું ઓઈલ ભેળવતાં હતા. ભેળસેળવાળું ઘી હરિયાણામાં આવેલ પુનહામાં પરવાનગી વિના જ બનાવવામાં આવતું હતું. ઘીમાં ભેળસેળ પકડાતાંનાં 2 મહિના અગાઉ જ પ્લાન્ટને તાત્કાલિક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરીમાં પુના અને હરિયાણાથી માલ મંગાવવામાં આવતો હતો. હરીયાણા સ્થિત પુનહાના પ્લાન્ટ ગેરકાયદેસર ભાડે રાખી ઘી બનાવતું હતું. ગુનેગારોએ ભેળસેળના પુરાવાનો નાશ કર્યો હતો. ઘી માં ભેળસેળ પકડાયું તેના બે માસ અગાઉ જ પ્લાન્ટ બંધ કરી દેવાયો હતો