રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ માત્ર 3 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પક્ષો તડામાર તૈયારીમાં જોતરાઇ ચૂક્યા છે. ભાજપ કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોંમાચક માનવામાં આવી રહી છે.તમામ રાજ્કીય પક્ષો નેતા એક બાદ એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે કોંગ્રેસ ચૂંટણીને લઇ બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યુ છે એક બાદ એક નેતાઓ કેન્દ્ર સ્તરેથી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. થોડાક દિવસ આગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય નિરીક્ષક અશોક ગહેલોત ગુજરાતની મુલાકાતે છે જયાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળ્વયુ હતું અને કોંગ્રેસ તમામ નેતાઓ ,ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી આગમી ચૂંટણીની રણનિતી ઘડી હતી તો બીજી કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણું ગોપાલ ગુજરાતના પ્રવાસે છે.
જયાં તેઓ પાટીદાર વોટબેન્ક સચાવવા મેદાને પડ્યા છે તમામ પાટીદાર ધારાસભ્ય સાથે તેઓએ બેઠક કરી હતી થોડાક દિવસ આગાઉ 6 જેટલા પાટીદાર ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડશે તે અટકળો વેગવાન બનતા નેતાઓ ગુજરાત ખાતે દોડી આવ્યા છે આજે પાટીદાર ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી જેમાં ચિરાગ કાલરીયા,હર્ષદ રિબડીયા વિરજી ઠુમ્મર મહેશ પટેલ. જશુ પટેલ લલિત વસોયા,લલિત કગથરા, કિરીટ પટેલ પણ હાજર રહ્યા હતા. આ અંગે લલિત વાસોયા એ વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા રાજકીય ગલિયારમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે જો કે તમામ કોંગ્રેસ નેતાઓ લલિતા વસાયો ચૂંટણી લડવા માટે મનામણામાં પડ્યા છે. પાટીદાર ધારાસભ્ય પક્ષ છોડશે તેવી પક્ષના ધારાસભ્ય દ્રારા અફવા ફેલાતી હોવાની ફરિયાદ કરાઇ છે જો કે આં અંગે લલિત વસાયો ચૂંટણીના ન લડવાની વાતને અફવા ગણાવી હતી પાટીદાર સમાજ પાસે 11 ટકા મતદારો છે એટલે પાટીદાર સમાજને પુરતું પ્રભુત્વ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાઇ છે