રીના બ્રહ્મભટ દ્વારા
અમદાવાદ: મોદીએ પ્રજાને ભ્રષ્ટાચાર હટાવવાના આપેલ વચનને પગલે નોટબંદીથી લઈને આઇટીના દરોડા અને આઈટીની સઘન કામગીરી હાથ ધરાઈ હતી જે આજે પણ ચાલુ છે. અને એની પરનો સ્પષ્ટ આશય છે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો. પરંતુ આ સમગ્ર કાર્યવાહીમાં દેશની ખાસ કરીને મિડલ ક્લાસ જનતાને બહુ વેઠવાનો વારો આવ્યો. અને મોટા માથાઓ ભર્યા તળાવમાં કોરા નીકળી ગયા. અને એટલે જ લોકોમાં પણ તે ચર્ચાનો દોર શરુ થયો કે, નાની માછલીઓ ફસાઈ અને મોટી માછલીઓ આબદ બચી ગઈ.
ત્યારે વાતમાં દમ પણ છે કેમ કે, લોકો એ કોઈ મોટા માણસને બેન્કની લાઈનમાં નોટો બદલવા ઉભા રહેતા જોયા નથી. કે ના એમની લાઈફમાં કોઈ ફર્ક પડ્તો જોયો છે.
એની વે , અત્યારે આ અંગે ચર્ચા કરવાનો બહુ સીધો આશય છે કે, ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજેપીના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની પર મની લોન્ડરિંગના આરોપ લાગ્યા છે. અને એને લાગતો વીડિઓ પણ એક વેબ પોર્ટલે વાઈરલ કર્યો છે. ત્યારે કોંગ્રેસને ચુંટણી ટાણે જ એક બહુ મોટો મુદ્દો મળી ગયો છે. અને સામે છેડે ભાજપા કે જેને ભ્રષ્ટાચારના મુદ્દે સામાન્ય માણસની પણ બાકાયદા ધોલાઈ કરી છે તેને આ મામલે હાલ તો નીચાજોણું થયું છે.
ત્યારે હવે અમિત શાહે આ મામલે લાગેલા આરોપનો જવાબ આપતા જણાવ્યું છે કે, જયની કંપનીનો કોમોડીટી એક્ષ્પોર્ટનો બિજનેસ છે. અને આ કંપનીનું tarnover ૫૦૦૦ થી વધીને ૮૦ કરોડ રૂપિયે પહોચી ચુક્યું છે. ત્યારે લોકો આ નાણા ની જ ચર્ચા કરે છે. પરંતુ ધ્યાન આપવાની બાબત તે છે કે, tarnover અને નફામાં અંતર હોય છે. જયની કંપની કોમોડીટીના એક્ષ્પોર્ટનો બિજનેસ કરે છે. એટલે સ્વાભાવિકપણે એનું આટલું મોટું tarnover હોય.
તેમજ કરપ્સન મામલે કોંગ્રેસને ઘેરતા તેમને જણાવ્યું છે કે, કોંગ્રેસના કેટલાય નેતા પર આરોપો છે અને કેટલાય નેતાઓ પર અદાલતમાં કેસો ચાલી રહ્યા છે. તેમછતાં કોંગ્રેસ એમના પર કાર્યવાહી કરવાને બદલે બીજેપી પર ખોટા આરોપો લગાવી રહી છે.
તો આ મામલે આરએસએસ પણ તેમના બચાવમાં ઉતર્યું છે. અને જણાવ્યું છે કે, આરોપો લગાવવાવાળા સાબિત કરે અને પછી જ આક્ષેપ કરે. બોલો ત્યારે આ સ્થિતિ જોઇને નથી લાગતું કે મોસાળમાં માં પીરસવાવાળી હોય પછી કોઈ શું બગાડી લેવાનું હતું.
બાકી, લોકો પણ જાણે છે કે ADC બેંક ની ગરબડથી લઇ જય શાહ ની કંપની અને પેલા જુના encounter કેસમાં કોના હાથ રંગાયેલા છે અને કોને બલીના બકરા બનાવાયા છે. આ અંગે લોકો અને જાણકારોમાં તો તેવી કાનાફૂસી પણ થઇ રહી છે કે, અમિત શાહ યુપી સહીત દેશભરમાં બીજેપીની જીતના સુત્રધાર છે તેમછતાં આ વખતની ચુંટણી નો તમામ કાર્યભાર જેટલીને સોંપવામાં આવ્યો છે. ત્યારે એની પાછળ શું કારણ હોઈ શકે છે?
બાકી અમિત શાહ તો સોય જાટકીને એમ કહી રહ્યા છે કે, એમના પુત્રએ સરકાર સાથે કોઈ કારોબાર નથી કર્યો , કે ના કોઈ સરકારી જમીન લીધી છે કે ના કોઈ કોન્ટ્રક લીધો છે. જેથી આ કોઈ રીતે ભ્રષ્ટાચારનો મામલો નથી. અગરકોંગ્રેસ પાસે કોઈ સાબિતી હોય તે અદાલતમાં રજુ કરે.
જો કે આ તો પોતાની જાતે જાતને સર્ટિફાઈડ કરવાની વાત થઇ. પણ સાવલિયા નિશાન તે છે કે, ૫૦૦૦ થી ૮૦ કરોડની સફર તે કોઈ મામુલી વાત નથી. અને ના પબ્લિક એટલી ભોટ છે કે એને આવા ફાલતું ખુલાસા એમ આસાની થી ગળે ઉતરે.