ખેડૂતની બેદરકારીથી સિંહણનું મોત: ગીર પૂર્વની દલખાણિયા રેન્જમાં જીરા ગામ પાસે ખેતરની ફરતે ગોઠવાયેલા ગેરકાયદે વીજતારને અડી જતા સિંહણનું મોત
અમરેલી જિલ્લામાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે ગોઠવાયેલા વીજતાર હતા,એ વીજતારમાં અડી જતા એક સિંહણનું થયું મોત.
અમરેલી જિલ્લા ધારી ગીર પૂર્વ દલખાણીયા પાસે આવેલો જીરા ગામ ના નજીક રહેતા મુકેશભાઈ બાંભરોલીયાની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.વાવેતરમાં નુકસાન ન થાય તે માટે વીજતાર ફરતે લગાયેલા હતા.જેમાં ગઈ કાલે ગુરુવારે સિંહણનું મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનાની વનવિભાગ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.વનવિભાગ દ્વારા પીજીવીસીએલના નાયબ ઈજનેર સહિત સ્થળ નિરીક્ષણ કર્યું હતું.તાપસ કરતા ખેતરની ફરતા વીજતાર બાંધેલા જોવા મળ્યા હતા.જેમાં વીજલાઇનેમાંથી કનેક્શન આપીને વીજપ્રવાહ મુકાયો હોવાનું સામે આવ્યું.આ મામલે વાડીમાં ભાગીદાર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના જીથરાભાઈ નાથુરભાઈ ભીલની અટકાયત કરવામાં આવી છે.ત્યારબાદ વનવિભાગે સિંહણનું મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું.
વાડીના (જમીન ) માલિક મુકેશભાઈ કનુભાઈ બાંભરોલીયા અમદાવાદ રહે છે.તે અમદાવાદ રહેતા હોવાના કારણે તેમને વનવિભાગ દ્વારા બોલાવ્યા હતા.તેમની વનવિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે આ ઘટના વિશે વધુ પુરાવા શોધવા વન વિભાગે કવાયત હાથ ધરી છે.
રેવન્યુ વિસ્તારમાં બનાવ સ્થળે સ્થાનિક પત્રકાર ફોટોગ્રાફી કરતા હતા.તે દરમિયાન દલખાણીયા રેન્જના RFO જ્યોતિ જોશી દ્વારા મોબાઈલ આંચકી મોબાઈલ માં ફોટા અને શૂટિંગ કર્યું હતું તે ડીલીટ કરાયું હતું.જેના લીધે મીડિયાકર્મીઓમાં પણ રોષ જોવા મળ્યો.ડીલીટ મારવાની ઘટના અંગે DCF અંશુમન શર્માનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હું બહાર હતો તપાસ કરાવું છું.આવું ના થવું જોઈએ તેમજ જણાવ્યું.