ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદનો કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)એ ગુજરાતના ત્રણ શહેરોમાં અમૂલ કેમલ મિલ્ક લોન્ચ કર્યું છે. અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં દૂધ મળશે. અમૂલે કેમલ મિલ્કનું વેચાણ અડધા લીટરના 50 રૂપિયા રાખ્યા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં કેમલ મિલ્કનું વેચાણ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં દેશના અન્ય ભાગોમાં પણ કેમલ મિલ્કનું વેચાણ શરૂ કરવામાં આવશે.
ભારતમાં સર્વ પ્રથમવાર કેમલ મિલ્કનું લોન્ચીંગ
જણાવી દઈએ કે દેશ આઝાદ થયો તે પૂર્વેથી ખેડુત શક્તિનું અમૂલ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અમૂલ હવે ગુજરાતમાં પ્રચલિત નામ છે. દરેક ભારતીયે અમૂલના ઉત્પાદનોનો સ્વાદ ચાખેલો છે. દેશઅને દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલા ડેરી ઉદ્યોગ એવા અમૂલે એમવીઆર બ્રાન્ડ હેઠળ દેશમાં પ્રથમવાર કેમલ મિલ્કના વેચાણનો પ્રારંભ કર્યો છે.
અનેક ફાયદા છે આ દુધના
ઉંટણીના દુધને પચાવવાનું આસાન હોય છે અને તેના અનેક ફાયદા સાથે સ્વસ્થ દૂધ પણ છે. આ દૂધમાં ઈન્સ્યુલિન અને પ્રોટીન જેવા ઉચ્ચ તત્વો સામેલ છે. ડાયાબિટીઝના લોકોને ફાયદાકારક છે. ઉંટણીના દૂધનો ઉપયોગ હજારો વર્ષથી અલગ અલગ સંસ્કૃતિઓમાં કરવામાં આવે છે. આ દુધનો ઉલ્લેખ આયુર્વિદક ગ્રંથોમાં પણ મળી આવે છે.
એલર્જીવાળા લોકો માટે છે ઉત્તમ
ઉંટણીનું દુધ એલર્જી ધરાવતા લોકો માટે એનક રીતે ગુણકારી અને ઉત્તમ છે. આ દુધમાં કોઈ પણ પ્રકારની એલર્જી નથી. કચ્છમાં વેચાનારું દૂધ 500 મી.લી.ની પીઈટી બોટલમાં મળશે, જેની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. અમૂલ દ્વારા માર્કેટમાં ઉંટણીના દૂધની ચોકલેટ લોન્ચ કરી દેવામાં આવી છે. હવે તે દૂધ વેચશે.