ગુરુ ચેલા વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ છે ત્યારે અવસર નાકિયાએ કુંવરઝી પર આરોપો લગાવ્યા કહ્યું હતું કે આજે ચુંટણી આવી અને અમે મેદાનમાં આવ્યા એવું નથી. પહેલી વખત અમે ચુંટણી લડ્યા ત્યારથી અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં રહેવાના છીએ. કોંગ્રેસે અમને ટીકીટ આપી છે અને અમે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાના નથી.
અવસર નાકિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજનું દર ચુંટણીએ મતદાન બે ચાર હજાર વધતું હોય છે. કુંવરજી ભાઈ જ્યારે ચુંટણી લડતા હતા ત્યારે 40 45 હજાર મતદાન વધતું હતું. ગઈ ચુંટણીમાં તેમનું મતદાન ફક્ત 9 હજાર જ હતું એટલે કે તેમની લીડ ઘટતી જાય છે
પોતાની જીત અંગે ચોખવટ કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી વફાદારી અમને જીતાડશે. કુંવરજી ભાઈએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસ અને જનતા બંને સાથે દગો કર્યો છે. આ સાથે તેમણે તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યએ કોંગ્રેસને દગો આપ્યો છે. અમે હજી કોંગ્રેસમાં છીએ એ જ અમારી વફાદારી છે.