Astrology about Plan crash: 26 જુલાઈ સુધી યોગની ભયંકર અસરો રહેવાની આગાહી
Astrology about Plan crash: અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂને થયેલી એર ઈન્ડિયાની ભયંકર વિમાન દુર્ઘટનાને લઇ જ્યોતિષ શાસ્ત્રના આધારે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમરેલીના જાણીતા જ્યોતિષ અને ખગોળશાસ્ત્રી જયપ્રકાશ માઢકે જણાવ્યું છે કે, આ ઘટના ‘અંગારક યોગ’ના પ્રભાવ હેઠળ બની છે—મંગળ અને કેતુના યુતિના કારણે સર્જાતા શક્તિશાળી અને અશાંત ગ્રહયોગના કારણે.
મંગળ-કેતુનો અંગારક યોગ: 26 જુલાઈ સુધી જોખમ
જયપ્રકાશ માઢક અનુસાર, 6 જૂનથી મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો જ્યારે કેતુ પહેલેથી જ ત્યાં હાજર હતો. આ યુતિ 7 જૂનથી શરૂ થઈ અને 26 જુલાઈ સુધી યથાવત રહેશે. આ દરમિયાન આગ લાગવાની ઘટનાઓ, અકસ્માતો, વિસ્ફોટો અને યુદ્ધ જેવી ઘટનાઓની શક્યતા વધારે છે.
અંકશાસ્ત્રના હિસાબે પણ દશા દુર્ઘટનાને અનુરૂપ
માઢકના દાવા અનુસાર વિમાની સાથે જોડાયેલા તમામ અંક “મંગળ” અને “કેતુ” સાથે જોડાયેલા છે:
ફ્લાઈટ નંબર AI-171 → 1+7+1 = 9 (મંગળ)
દુર્ઘટનાની તારીખ: 12-6-2025 → 1+2+6+2+0+2+5 = 18, 1+8 = 9 (મંગળ)
વિમાન નંબર VT-ANB-3627 → 3+6+2+7 = 18, 1+8 = 9
વિમાન ઉડાણ સમય 13:39 → 1+3+3+9 = 16, 1+6 = 7 (કેતુ)
કુલ મૃતકો: 241 → 2+4+1 = 7
વિમાનમાં રહેલા મુસાફરો: 169 → 1+6+9 = 16, 1+6 = 7
જ્યોતિષ દ્રષ્ટિએ દુર્ઘટનાનું સ્થળ અને સમયે પણ ઉલ્લેખનીય સંયોગ
દુર્ઘટનાનું સ્થળ “મેઘાણીનગર” અને અથડાવેલું સ્થળ “મેડિકલ હોસ્ટેલ” – બંનેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, જે આરોગ્ય, દવા અને સેના માટે જવાબદાર માનવામાં આવે છે. દુર્ઘટનાના સમયે—બપોરે 2:29 કલાકે—જ્વાળામુખી યોગ પણ સક્રિય હતો. માઢકે જણાવ્યું કે જો આ સમય પસાર થયા પછી વિમાનને ટેકઓફ કરાવવામાં આવત, તો કદાચ આ હોનારત ટાળી શકાય તેવી હતી.
હવે પણ રહે છે ભવિષ્યમાં અકસ્માતની શક્યતા
માઢકે ચેતવણી આપી છે કે સિંહ રાશિમાં મંગળ-કેતુના યોગના લીધે જ આમ અકસ્માત બન્યા છે અને 26 જુલાઈ સુધી આવું જ ગ્રહિય દબાણ યથાવત રહેશે. તેથી આવનારા સમયમાં પણ દેશ-વિદેશમાં મોટી દુર્ઘટનાઓ, આગ અને અપરિહાર્ય ઘટના બની શકે છે.
વિજ્ઞાન જેટલું મજબૂત છે, એટલી જ દૃઢતા સાથે ધર્મ અને જ્યોતિષ પણ સમાજના એક વર્ગમાં માન્ય છે. જયપ્રકાશ માઢકના આ દાવાઓ ભવિષ્ય માટે ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે વાત ઐતિહાસિક દુર્ઘટનાઓ અને ગ્રહોની ગણનાની અનુકૂલતાની હોય.