જમ્મુ-કશ્મીરના આતંકી હુમલા પછી શંકાની સોય ગુજરાત પર સેવાઈ રહી છે. આ આતંકી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર અને ધાર્મિક સ્થળોએ અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલો થાય એવી માહિતી ગાંધીનગરઆઈબીના ઈનપુટ ઈન્ટલિજન્ટ્સ બ્યુરોને મળી છે.
મળતી માહિતી પ્રમાણે સોશિયલ મિડીયામાં પોલીસના થયેલા વાયરલ ફેક્સ મેસેજમાં ત્રણ આતંકવાદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહિમ, સ્યુસાઈડ બોમ્બર રોહન અને એક મહિલા સામેલ છે. મોટા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.
આઈ.બી દ્વારા આપવામાં આવેલા એલર્ટ બાદ તમામ જાહેર સ્થળઓએ સુરક્ષા બંદોબસ્ટ ગોઠવી દેવામાં આવ્યો છે. વાયરલ થયેલા પત્રમાં આતંકીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્વસ્ત કરી દેવાની ધમકી આપવામાં આવી છે.