આજે જસદણની પેટા ચૂંટણી પર દરેકની નજર મંડાયેલી છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ સમાતો નથી.
આ તમામ વાતાવરણ વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન શરૂ થાય તે પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે ‘ જસદણમાં કોંગ્રેસની જીત નક્કી જ છે’. તેમણે જણાવ્યું હતું કે જસદણના મતદાતાઓ કોંગ્રેસની સાથે જ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ગુરુ કરતા ચેલો સવાયો નિકળશે”.