ઉત્તરગુજરાતના બનાસકાંઠામાં ગૌશાળા અન પાંજરાપોળના સંચાલકોએ અનોખી રીતે પોતાનું વિરોધ વ્યકત કર્યો છે જેમાં રાજ્યસરકાર દ્રારા ખાસ કરીને ગૌશાળા અને પશુંસંવર્ધન માટે બજેટ સત્રમાં 500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરી છે
હોવા છતાય તે પાછળ ખર્ચ કરવાની વાત માત્ર કાગળ ઉપર રહી ગઇ હોય તેમ ગૈશાળાના સંચાલકોએ 182 ધારાસભ્યોને કુરિયર થકી ધારાસભ્યોની યાદશક્તિ વધે માટે બે-બે બદામ મોકલી અનોખો વિરોધ વ્યકત કર્યુ છે અને 500 કરોડની સહાય જે બજેટસત્રમાં કરવામાં આવી હતી તે યાદ આવે તે માટે બદામ મોકલાઇ છે.