Banaskantha recharge well project: ગુજરાતમાં 1 લાખથી વધુ જળસંચય કાર્યો પૂર્ણ
Banaskantha recharge well project: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે જળશક્તિ અભિયાન હેઠળ રિચાર્જ કૂવા બનવાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ઉજવણીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડાર્ક ઝોનવાળા જિલ્લાઓને પાણીની તંગીમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધાં છે. પાણી એ જીવન છે અને તેની સાચવણી એ હવે વિકલ્પ નહીં, પણ આવશ્યકતા બની ગઈ છે. 2019થી દેશભરમાં શરૂ થયેલા જળસંચયના અભિયાનને ગુજરાતે મોડલમાં ફેરવ્યું છે.
મંત્રી પાટીલએ પણ રાજ્યના કૃષિપક્ષને સશક્ત બનાવવા માટે જમીનમાં વરસાદી પાણી ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “જો આજે પાણી બચાવશું, તો જ આવતીકાલે જીવન બચાવી શકીશું.” દેશના 700 જિલ્લાઓમાંથી 150 ડાર્ક ઝોનમાં છે, જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સુધાર લાવવાનો પ્રયાસ સતત ચાલી રહ્યો છે.
બનાસ ડેરી, ધારાસભ્યો તથા અન્ય સંસ્થાઓ દ્વારા આ અભિયાન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 24 લાખથી વધુ રિચાર્જ સ્ટ્રક્ચર બની ચૂક્યા છે. ખેડૂતોએ પોતાની જમીન પર જળસંગ્રહ માટેના ચરણે પગલાં લીધાં છે.
વિશ્વમાં જ્યાં માત્ર 4 ટકા પીવાના પાણીનો જથ્થો ભારત પાસે છે, ત્યારે પાણીનો દર દિવસ ઉપયોગ વિચારપૂર્વક કરવો જરूરી છે. “કેચ ધ રેઈન” અભિયાનને મજબૂત આધાર આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.