રાજકોટના દૂધસાગર રોડ પાસેની લાખાજીરાજ સોસાયટીમાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેન ચાવડાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. રાજકોટ ડેરીના કર્મચારી, તેના પુત્ર અને ભત્રીજાએ બે વર્ષથી ચાલતી તકરારને હત્યાનો અંજામ આપ્યો હતો.
દૂધની વાનગીઓ બનાવતા શખ્સ સાથે દૂધની વાનગીઓમાંથી આવતી દુર્ગંધ અંગે માથાકૂટ ચાલતી હોય જે સંદર્ભે સમજાવવા જતા સામા પક્ષના પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દેતા મુસ્લિમ ભાજપ અગ્રણીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.