ગુજરાતમાં ભાજપ છઠ્ઠી વખત સરકાર બનાવી રહ્યો છે તો સાથે સાથે હિમાચલને પણ મોદીએ વિજય મેળવી કબજે કરી લીધું છે. અાટલી મોટી જીતથઈ હોવાછતાં ભાજપની રાજય સભાની બેઠકોમાં ઘટાડો થશે. વાસ્તવમાં આગામી વર્ષે માર્ચમાં દેશના 14 રાજ્યોમાંથી સંસદના ઉચ્ચ સદનમાં 50 નવા સભ્યો પસંદ કરવામાં અાવશે.ગુજરાત રાજ્યમાં ચાર રાજય સભાની બેઠકો છે.
એવામાં 99 વિધાનસભાની બેઠકો પર વિજય મેળવ્યા પછી પણ ભાજપના 4માંથી માત્ર 2 જ બેઠકો પર કબ્જો છે, બાકી બે બેઠકો કોંગ્રેસને ફાળે છે. 182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં 4 બેઠકો (36 ધારાસભ્યો 1 રાજ્ય સભા બેઠક) આ ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળીછે. આ ગણતરીને આધારે હવે બન્ને પાર્ટીઓની 2 બેઠકો રાજ્યસભામાં મળશે.
અત્યારે રાજયસભામાં ગુજરાતના 11 સાંસદ છે, જેમાંથી 9 ભાજપના છે. આગામી વર્ષોમાં ચૂંટણીમાં આ સંખ્યામાં ઘટાડો થશે અને 7 થઈ જશે. 2018માં રાજયસભાની 4 બેઠકો પર ગુજરાતના ચાર પ્રતિનિધિ નિવૃત્ત થઈ રહ્યા છે આ સાંસદોમાં નાણાપ્રધાન અરુણ જેટલી, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકરભાઈ વેગાડ છે. જો કે, ભાજપના સાંસદોની સંખ્યા ઓછી થવાથી કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપની બેઠકોમાં વધારો થયો છે. એટલું જ નહીં હિમાચલ જીતવા સાથે જ ભાજપને રાજ્યસભામાં લાભ થશે હિમાચલમાં 2 એપ્રિલે રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થશે. આગામી વર્ષે રાજ્યસભામાં એનડીએ સાંસદોની સંખ્યા 84થી વધીને 100 સુધી થઈ જશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.