CM કેજરીવાલ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે, દ્વારકામાં જનસભાને સંબોધશે
શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના સાથે યોજાનારી સાપ્તાહિક બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેશે નહીં. મુખ્યમંત્રી બે દિવસીય ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે. જેના કારણે મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નર સાથેની સાપ્તાહિક બેઠક સ્થગિત કરવાનું કહ્યું છે.
લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી દર અઠવાડિયે દિલ્હીના વિકાસ કાર્યોને લગતી બાબતોની ચર્ચા કરવા માટે મળે છે, પરંતુ મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસના કારણે 2 સપ્ટેમ્બરે આ બેઠક થશે નહીં. મુખ્યમંત્રી ગુજરાતના દ્વારકામાં જનસભાને સંબોધશે. 3જી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં ટાઉન હોલ મીટીંગમાં હાજરી આપશે.