કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકીએ જીવલેણ કોરોના વાયરસના ચેપમાંથી મુક્ત થઈ ગયા છે. કોરોનાને મ્હાત આપવા છતાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી નથી. ઘણા લાંબા સમયથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારાવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીની તબિયત હજુ પણ નાજુક છે.
એન્ટિબાયોટિક દવાની અસર થતા તેઓને રજા આપવામાં આવી નથી. એન્ટિબાયોટિકની અસર ભરાતસિંહને કિડની પર થઈ છે.જેના લીધે હાલ ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહની સારવાર ચાલુ છે.