ઓખા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર જરીનાબેન હારુનભાઈ કુરેશી સાથે 100થી વધુ મહિલા કાર્યકર્તા ‘આપ’માં સામેલ.
મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ‘આપ’માં સામેલ.
અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દા ઉઠાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈને બીજી પાર્ટીના લોકો પણ ‘આપ’માં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે. અને એટલે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જનસેવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તે અનુક્રમે આગળ વધતા ઓખા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર જરીનાબેન હારુનભાઈ કુરેશી તેમની સાથે 100થી વધુ મહિલા કાર્યકર્તાઓ સાથે જનસેવામાં યોગદાન આપવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દા ઉઠાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા સેક્રેટરી મેઘાભા હાથલ, હિંમતસિંહ માણેક, 82 વિધાનસભા સંગઠન મંત્રી કાનાભા માણેક, જિલ્લા સંયુક્ત સચિવ ડેપારભાઈ વીકમા અને એસ.સી વિંગ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ રોશિયા દ્વારા ઓખા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર જરીનાબેન હારુનભાઈ કુરેશી તેમની સાથે 100થી વધુ મહિલા કાર્યકર્તાઓને લઈને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલજીએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલજીએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી અને પંજાબમાં જે કામ કરી બતાવ્યા છે તે ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમણે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એમ લોકતંત્ર જળવાઈ રહે અને જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને આપી છે.
ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે. જેના કારણે લોકો અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે તથા દરેક વર્ગ અને સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ અવશ્ય લાવશે.