રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી લગ્ન સમારોહ ચાલશે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં 14 મંદિરો બનાવ્યા છે, જેની કોતરણી અને સુંદરતા જોવાલાયક છે.
રિલાયન્સ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા ‘X’ પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં મંદિરોની ઝલક જોવા મળી રહી છે. આ વીડિયોમાં ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી અને મંદિર બનાવનાર કલાકાર પણ જોવા મળે છે. આ મંદિરનું નિર્માણ નીતા અંબાણીના ભારતીય વારસા, પરંપરા અને સંસ્કૃતિને સાચવવા અને પ્રોત્સાહન આપવાના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
મંદિરના નિર્માણમાં ઘણા લોકો સામેલ થયા, જેમાં વિવિધ સમુદાયો અને વિવિધ ધર્મોના લોકો સામેલ છે. તેમને જોઈને લાગે છે કે આખું ભારત જોડાયેલું છે. વીડિયોમાં નીતા અંબાણી ‘જય શ્રી કૃષ્ણ’ કહીને બધાને શુભેચ્છા પાઠવે છે. તે લોકોને કહે છે કે એકવાર મંદિર બની જશે તો તેઓને ઘણો આનંદ થશે.
An Auspicious Beginning
Ushering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat.
Featuring intricately carved pillars, sculptures of Gods and… pic.twitter.com/lGurPLiOdf
— Reliance Foundation (@ril_foundation) February 25, 2024
મંદિર લગ્ન સમારોહનું મુખ્ય આકર્ષણ રહેશે
રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની શરૂઆત નિમિત્તે અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક વિશાળ મંદિર સંકુલમાં નવા મંદિરોનું નિર્માણ કર્યું છે. મંદિરમાં જટિલ રીતે કોતરવામાં આવેલા સ્તંભો, દેવી-દેવતાઓના શિલ્પો અને ફ્રેસ્કો શૈલીના ચિત્રો છે. આ મંદિર સંકુલ લગ્ન સમારોહનું મુખ્ય આકર્ષણ હશે જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને પ્રતિબિંબિત કરશે.
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આવનાર મહેમાનોને ગુજરાતના કચ્છ અને લાલપુરની મહિલા કારીગરો દ્વારા બનાવેલા પરંપરાગત સ્કાર્ફ ભેટમાં આપવામાં આવશે. અનંત અને રાધિકાએ જાન્યુઆરી 2023 માં મુંબઈમાં પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરંપરાગત સમારોહમાં સગાઈ કરી હતી.