ગુજરાતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 563 કેસ નોંધાયા. આ આંકડો ગઇ કાલ કરતા નજીવો ઓછો છેઅમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે. ગઇ કાલે પણ ડાયમંડ સિટીમાં 176 કેસ હતા. આમ અમદાવાદ બાદ સુરતમાં ચેપ ફેલાઇ રહ્યું છે. ત્યાં છેલ્લા 10 દિવસમાં 300 હીરઘસુ સંક્રમિત થયા હોવાના અહેવાલ છે.
ત્યાર બાદ વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં, જુનાગઢ અને નર્મદા જિલ્લામાં 7-7, આણંદમાં 6, મહેસાણામાં 4, ભાવનગર, પાટણ અમે ખેડામાં 3-3, મહિસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ અને અમરેલીમાં 2-2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, નવસારીમાં 1-1 કેસ નવા નોંધાયા.. રવિવારે 580 કેસ હતા. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 27880 થઇ ગઇ છે. તેમાંથી 19917 દર્દી સાજા થયા. સોમવારે વધુ 560 લોકોને હોસ્પિટલોમાંથી રજા અપાઇ. જ્યારે રાજ્યમાં 21 લોકોનાં મોત થયા, તેમાંથી16 મોત અમદાવાદમાં નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 1685 થઇ ગયો છે.