લોકડાઉન પછી આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ, નિસર્ગ વાવાઝોડાની સંભવિત સ્થિતિ અને તીડના આક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક પછી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં.
રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્મણને લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપતા જણાવ્યુ કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં, તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં જશે પણ નહિ. તેથી બધી જ ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરવું જરૂરી છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, કોરોના મામલે સલાહ લેવા માટે સરકારે ડૉક્ટરોની કમિટી બનાવી છે. ટેસ્ટીંગ અને સારવાર બાબતે સરકાર સલાહ લેશે. કમિટીની સલાહ મુજબ આરોગ્ય વિભાગ નીતિ ઘડશે.