ગુજરાતમાં ઓમિક્રોનના ડર વચ્ચે પ્રતિદિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 48 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. તો બીજી તરફ 24 લોકો સ્વસ્થ્ય થયા છે. રાજયમાં અત્યાર સુધી 8,17,263 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં નવા 48 કેસ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે
રાજ્યમાં હાલ 349 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે, 342 નાગરિકો સ્ટેબલ છે. 10095 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તે ઉપરાંત આજે સુરતમાં એક નાગરિકનું મોત થયું છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લા વાર સ્થિતિ જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશન 2, આણંદ, ભરૂચ, ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.