DGCA Report: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરક્ષાની ચિંતા વધી
DGCA Report: અમદાવાદ વિમાન દુર્ઘટના પછી દેશભરમાં હવાઈ મુસાફરી અંગે ચિંતાઓ વધી રહી છે. એ વચ્ચે DGCA (Directorate General of Civil Aviation) એ એપ્રિલ 2025નો તાજો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ, એપ્રિલ મહિનામાં ડોમેસ્ટિક એરલાઇન્સ સામે મુસાફરો દ્વારા કુલ 910 ફરિયાદો નોંધાવવામાં આવી છે.
સૌથી વધુ ફરિયાદ Flight Problems અંગે
DGCAના રિપોર્ટ અનુસાર, 910 ફરિયાદોમાંથી લગભગ 46% મુસાફરો એ ફ્લાઇટ સંબંધિત સમસ્યાઓ અંગે ફરિયાદ કરી છે. ખરાબ હવામાનના કારણે એપ્રિલમાં કેન્સલ થયેલી ફ્લાઇટમાં લગભગ 39% ફ્લાઇટ સામેલ હતી.
વધુમાં વધુ ફરિયાદો Air India Group સામે
ફરિયાદોની સંખ્યા પ્રમાણે એર ઈન્ડિયા ગ્રુપ સૌથી ઉપર રહ્યું, જ્યાં એપ્રિલમાં 269 ફરિયાદો (29.56%) નોંધાઈ. ત્યારબાદ અલાયન્સ એરની 209 (22.97%), સ્પાઈસ જેટની 196 (21.54%), ઈન્ડિગોની 184 (20.22%) અને અકાસા એરની 33 (3.63%) ફરિયાદો નોંધાઈ.
ફરિયાદો કયા મુદ્દાઓ પર?
ફ્લાઇટ પ્રોબ્લેમ: 46.30%
સામાન/બેગેજ: 19.20%
રિફંડ: 13.70%
કસ્ટમર સર્વિસ: 5.40%
સ્ટાફનું વર્તન: 2.60%
અન્ય મુદ્દાઓ: 12.10%
DGCAનો અહેવાલ મુસાફરો માટે મહત્વનો
DGCAનો આ અહેવાલ મુસાફરો માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે એ દ્વારા તેઓ સમજી શકે છે કે કઈ એરલાઈન્સ દ્વારા કયા મુદ્દે વધારે તકલીફો આવી રહી છે. એપ્રિલ 2025ના આંકડા દર્શાવે છે કે ડોમેસ્ટિક એરલાઈન્સ માટે સુધારાની જરૂરીયાત કેટલી જરૂરી છે.