ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે પરંતુ તેણે ૧પ૦ પ્લસ બેઠકોના નક્કી કરેલા લક્ષ્યાંક જેટલી બેઠકો મળી નથી. અને માત્ર ૯૯ બેઠકોથી જ સંતોષ માનવો પડયો છે જયારે કોંગ્રેસને ગયા વખત કરતા વધુ બેઠક મળી છે. આ સંજોગોમાં ટાર્ગેટ કેમ પુરો ન થયો ? એ બાબતને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. એ દરમિયાન ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંહે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે ખેડુતોની બદત્તર સ્થિતિ અને યુવાનોને નડતી બેકારી આ બે કારણ છે જેને કારણે રાજયમાં ભાજપની વિરૂધ્ધ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યુ હતુ. લોકોએ આવુ કરી ભાજપ વિરૂધ્ધ પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યકત કરેલ છે. આવુ સિંહે ગઇકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ.
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને ૯૯ બેઠક મળી છે જયારે ર૦૧રમાં આ આંકડો ૧૧પ બેઠકનો હતો. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પક્ષને ૧૦૦ બેઠક ન મળતા અને પક્ષની વિરૂધ્ધ મત પડવાને લઇને ગુજરાતના સૌથી મોટા ઓફિસરની આ ટિપ્પણી મહત્વની બની જાય છે. તેમણે આ બાબત અપેરલ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલની ૧રમી રીજીયોનલ ઓફિસના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન જણાવી હતી.