બેટ દ્વારકા એ રાજાધિરાજ દ્વારકાધીશ નુ ઘર માનવા માં આવે છે અને વર્ષભર દરમિયાન હજારો ભકતો બેટ દ્વારકા ની મુલાકાત લઈ અને દ્વારકાધીશ ના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે બેટ દ્વારકા ના મંદિર નુ સંચાલન બેટ દેવસ્થાન સમિતી અને ગુગળી બ્રાહ્મણો એમ બન્ને ના સહયોગ થી થતુ હોય એવા માં બેટ દેવસ્થાન સમિતી અવાર નવાર વિવાદો માં ઘેરાતી જોવા મલે છે ત્યારે તાજેતર માં બેટ માં સરકારી મહેમાનો દ્વારકાધીશ ના દર્શનાર્થે ગયેલા ત્યારે બેટ દ્વારકા માં પણ દાન નુ મહત્વ હોઈ એવા માં બેટ ના તીર્થ પુરોહિત દ્વારા સરકારી મહેમાનો ને દાન નુ મહત્વ સમજાવતા સરકારી મહેમાનો એ બેટદ્વારકા ખાતે દાન કરેલુ ત્યારે બેટ દેવસ્થાન સમિતી ના ટ્રસ્ટી સમિર પટેલ દ્વારા દાન ની પહોંચ ની માંગણી કરી અને ગુગળી બ્રાહ્મણો વિરૂદ્ધ અપમાનજનક શબ્દો ના પ્રયોગ કરતા મામલો ગરમાયો હતો.
ત્યારે ત્યા હાજર રહેલા લોકો એ મામલો શાંત કરવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગુગળી બ્રાહ્મણો દ્વારા સમિર પટેલ વિરુદ્ધ રોષ યથાવત રહ્યો હતો અને સમિર પટેલ વિરુદ્ધ બેટ દ્વારકાધીશ મંદિર ખાતે વીરોધ પ્રદર્શન કરી અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ બેટ અને દ્વારકા ના ગુગળી બ્રાહ્મણો દ્વારા એકઠા થઈ અને મોટી સંખ્યામાં દ્વારકા પ્રાંત અધિકારી સમિર પટેલ જાહેર માં અને લેખિત માં માફી માંગે અને એમના પદે થી રાજીનામુ આપે એવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ હવે જોવાનુ એ રહ્યુ કે આ વિવાદ અહીંયા જ અટકશે અથવા ઉગ્ર આંદોલન માં ફેરવાશે એ આવનારો સમય જ બતાવશે…