સમગ્ર દેશ 2020નાં વર્ષમાં એક પછી એક સતત કુદરતી આપત્તિઓ આવતી રહી છે. ત્યારે એવામાં કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે કચ્છમાં વહેલી સવારે 6:47 વાગ્યે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ કચ્છથી 23 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. પરંતુ હવે ભૂસ્તરશાસ્ત્રીઓએ ભૂકંપને લઇને મોટી આગાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓની આગાહી મુજબ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર છેલ્લાં 1 હજાર વર્ષથી કોઇ ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધતા ગમે ત્યારે ગુજરાતનાં કચ્છમાં મોટો ભૂકંપનો આંચકો આવી શકે છે. જેની અસર છેક અમદાવાદ સુધી થશે.
ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપનાં આંચકા અવારનવાર આવતા રહે છે જે મોટા ભૂકંપને પાછળ ઠેલે છે. પરંતુ એક વાર ફરી કચ્છમાં ગમે ત્યારે ફરી મોટો ભૂકંપ આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનનાં અંતે બહાર આવી છે.