Elephant viral video Ahmedabad reaction: સોશિયલ મીડિયા પર હંગામો, મંદિર તરફથી જવાબ
Elephant viral video Ahmedabad reaction: સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમાં એક હાથીને મહાવત દ્વારા માર મારવામાં આવે છે એવો દ્રશ્ય જોવા મળે છે. આ વીડિયોની તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ છે.
“સાચું શું, ખોટું શું – તપાસ બાદ સ્પષ્ટ થશે”: પીઠાધેશ્વર દિલીપદેવાચાર્યજી
જગન્નાથ પીઠાધેશ્વર 1008 દિલીપદેવાચાર્યજીએ આ ઘટનાની ગંભીરતાને લગતી વાત કરતાં જણાવ્યું કે, “હજી સુધી સ્પષ્ટ નથી કે વીડિયોમાં જે દર્શાવાયું છે તે સાચું છે કે ભ્રામક. આવાં કેસોમાં સંદર્ભ અને હકીકત શોધવી અનિવાર્ય છે. વીડિયો અંગે તપાસ હાથ ધરવામાં આવશે.”
ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની સ્પષ્ટતા: મહાવત ફરાર, હાથી રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, વીડિયોમાં જે હાથી દેખાય છે તે રાજસ્થાનમાંથી રથયાત્રામાં ભાગ લેવા લાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “ગાયકવાડ પોલીસ સ્ટેશન તરફથી વીડિયો અંગે કોલ મળ્યો હતો. મહાવત હકીકતમાં માર મારતો હતો કે હાથી સાથે રમત રમતો હતો – એ હજુ સ્પષ્ટ નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “વીડિયો બનાવનાર વ્યક્તિએ મંદિર પ્રશાસનને તરત જાણ કરવી જોઈતી હતી. તેનાથી અસત્ય વાતો ન ફેલાય.” તેઓએ આશંકા વ્યક્ત કરી હતી કે રથયાત્રા દરમ્યાન પોલીસના સિરીન અથવા વ્હીસલના અવાજથી હાથી ગભરાઈ ગયો હોઈ શકે છે.
ઝૂના પૂર્વ ડિરેક્ટરનો દાવો: હાથી માટે કંટ્રોલિંગ મેડિસન પણ અપાતી હોય છે
કાંકરિયા ઝૂના પૂર્વ ડાયરેક્ટર આર.કે. શાહુએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, “હાથીને કંટ્રોલ કરવો એ સરળ નથી. કેટલીકવાર તેના માટે મેડિકલ સાધનો કે દવાઓનો સહારો લેવાય છે. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે તપાસના અંતે જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે.”
તપાસ પ્રગતિમાં, મહાવતની શોધ ચાલુ
આ દુર્ઘટનાની તપાસ માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. મહાવત હાલમાં ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. મંદિર તરફથી પણ સહકાર આપવાની વાત કહી દેવાઈ છે.