B.COM માં છેલ્લા 25 દિવસમાં 30,151 અને B.B.A. માં 6720 પ્રવેશ નોંધાયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિજ્ઞાન પ્રવાગની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ B.COM અને B.B.A ની 61 કોલેજોની 30,900 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આવતીકાલે પ્રવેશ માટેની અંતિમ તારીખ હોવા છતા અનમતના પ્રમાણપત્રો અને દાખલાઓથી વંચિત વિદ્યાર્થીઓ હજી સુધી પ્રવેશ ફોર્મ ભરી શક્યા નહોતા. આ અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડની રજૂઆત બાદ વિદ્યાર્થીઓની અગવડતાને ધ્યાનમાં રાખીને યુનિ. તંત્ર દ્વારા B.COM અને B.B.A ની પ્રવેશ પ્રક્રિયા માટે પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હવે 26 જૂલાઈથી લંબાઈને 6 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા 10 જૂલાઈએ વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 જૂલાઈથી સામાન્ય પ્રવાહ B.COM અને B.B.A માં પ્રવેશ પ્રક્રિયાની શરુઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં B.COM માં 30,151 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જેમાંથી 22,159 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફોર્મ થયા છે, જ્યારે B.B.A. માં છેલ્લા 25 દિવસમાં 6720 ફોર્મ ભરાયા છે, જેમાંથી 4299 પ્રવેશ કન્ફોર્મ થયા છે. આ અગાઉ પણ ફોર્મ ભરવાની તારીખ 16 જૂલાઈથી લંબાવીને 26 જૂલાઈ કરવામાં આવી હતી, જો કે હવે વિદ્યાર્થીઓની સંસ્યાને ધ્યાનમાં રાખતા યુનિ. દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ 10 દિવસ લંબાવી દેવામાં આવી છે.
નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતું અનલોકની સ્થિતિમાં કચેરીઓ બંધ હોવાથી અનામત વર્ગના વિદ્યાર્થીઓ અનામતના પુરાવાઓ અને દાખલાઓ ન મળી શકવાને કારણે ફોર્મ ભરી શક્યા નથી. આ વિદ્યાર્થીઓ અનામકના લાભથી વંચિત ન રહી જાય તે હેતુસર B.COM, B.B.A અને B.C.A માં પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવીને 6 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે.