રાજયની શાળાઓમાં શિક્ષણ ફી અને ઓનલાઈન શિક્ષણનાં વિવાદ વચ્ચે પ્રાથમિક શાળાની હોમ લર્નિંગ ની એકમ કસોટી લેવાની કામગીરીની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. સરકાર પ્રાથમિક વિભાગમાં એકમ કસોટી લેવાની પોતાની જીદ્દ પર મક્કમ છે. હોમ લર્નિંગના પ્રશ્નપત્રો જિલ્લા કચેરી અને શાળાઓને મોકલવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. જો કે ફી અને ઓનલાઈન શિક્ષકોને રજા આપી દેવાતા હવે આ પ્રશ્નપત્રો બાળકો સુધી કેવી રીતે પહોંચશે તે મોટો પ્રશ્ન છે.
રાજયની પ્રાથમિક શાળાઓમાં તા. ૮ જૂનથી હોમ લર્નિંગ શરૂ કરવામાં આવ્યુ છે અને તા. ૧પ જૂનાૃથી દૂરદર્શનનાં માધ્યમથી બાળકોને ભણાવવામાં આવી રહયા છે. દોઢેક મહિનાનાં આ અભ્યાસ બાદ મુલ્યાકનનાં રૂપમાં ધો. ૩થી ૮ નાં બાળકો માટે પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગનાં નિર્ણય મુજબ તા. ર૯ અને ૩૦ એમ બે દિવસ વિદ્યાર્થીઓ આ કસોટી માટે ઘરે પ્રશ્નપત્રો શિક્ષકો મારફત પહોંચાડવામાં આવશે. બાળકો ઘેર બેઠા આ પ્રશ્નપત્રોનાં જવાબો લખશે. કોઈ બાળકનાં ઘરે પરિવારનાં સભ્યોમાં તાવ, શરદી, ઉાૃધરસ જેવા લક્ષણો જોવા મળે તો ખાસ કિસ્સામાં તેઓ ૩૧ અથવા ૧ લી ઓગસ્ટે પણ લખી શકશે તેવી ગાઈડ લાઈન પણ જાહેર કરાઈ છે. બાળકો પ્રશ્નપત્રો લખે તેને કલેકટ કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.
આ કસોટી સરકારી અને ખાનગી બંને શાળાઓના વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આવતીકાલથી આ કસોટી માટેનાં પ્રશ્નપત્રો રાજય સ્તરેથી જિલ્લા કચેરીને મળશે અને જિલ્લા શિક્ષણાિાૃધકારી કચેરી દ્રારા શાળાઓને મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સરકારી શાળાઓને મેઈલ દ્રારા મોકલવામાં આવશે અને તેની પ્રિન્ટ કાઢીને બાળકોને પહોંચાડવામાં આવશે. ખાનગી શાળાઓને સોફટ અને હાર્ડ કોપી બંને રીતે આપવામાં આવશે. શિક્ષણ વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પર કોઈ બોજા રૂપ બને તેવી પરીક્ષા હશે નહીં. હોમ લર્નિંગ માં જે કઈં શીખ્યા તેનું એક મુલ્યાંકન કરવાનાં હેતુથી આ કસોટી લેવામાં આવી રહી છે.