વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવાથી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઇ શકે છે અને કોવિડ સંક્રમણ ધીમું થઈ શકે છે. તેમણે કહ્યું કે માસ્ક વાયરસના ચેપી ભાગને ફિલ્ટર કરી શકે છે પરંતુ તે સંપૂર્ણપણે રોકી શકતું નથી. આવી સ્થિતિમાં જો કોરોનાનો ચેપ લાગશે તો ચોક્કસ પરંતુ તે જીવલેણ હશે નહીં. એક રીતે આ ભયંકર તાવની જગ્યાએ નજીવો તાવ સહન કરવા જેવું છે.
ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના મોનિકા ગાંધી અને જ્યોર્જ રદરફોર્ડે આ વિચાર સામે મૂકયો છે. શીતળાની રસી આવી ત્યાં સુધી લોકો વેરિયોલેશન લેતા હતા. તેમાં જેમને બીમારી નહોતી, તેમને શીતળાના દર્દીઓના પોપડાના મટીરીયલના સંપર્કમાં લાવામાં આવ્યા હતા. તેના લીધે હળવો ચેપ લાગતો બતો પરંતુ સંપૂર્ણપણે બીમાર થતાં બચાવી લેતા હતા. વૈજ્ઞાનિકો કોવિડમાં પણ આવી જ સંભાવના જોઇ રહ્યા છે. તેની પાછળ વાયરલ પેથોજેનેસિસની જૂની થિયરી છે જે કહે છે કે બીમારીની ગંભીરતા એના પર નિર્ભર કરે છે કે વાયરસ ઇનોક્યુલમ (વાયરસનો ચેપ લાગેલો ભાગ) શરીરમાં કેટલો દાખલ થયો છે.
ગાંધી અને રદરફોર્ડ કહે છે કે જો કેવિડ ઇન્ફેક્શનની ગંભીરતા પણ વાયરલ ઇનોક્યુલમ પર નિર્ભર કરે છે તો ફેસ માસ્ક પહેરીને બચાવ થઇ શકે છે. તેનાથી વાયરસની કેટલીક અસરો ઓછી થઇ જશે. બંનેએ અભ્યાસમાં કહ્યું માસ્ક વાયરસ ધરાવતા કેટલાક ડ્રોપલેટસને ફિલ્ટર કરી શકે છે તેથી માસ્ક પહેરવાથી વ્યક્તિના શરીરમાં ઇનોક્યુલમ ઓછું થઈ શકે છે. ઉંદર પર કરાયેલા પ્રયોગના પરિણામોથી આ થિયરીને સમર્થન પણ મળ્યું છે. એવું જાણવા મળ્યું છે કે જે ઉંદરોએ માસ્ક પહેર્યું હતું તેમને ઇન્ફેકશન થવાની સંભાવના કાં તો ઓછી રહી અથવા તો પછી ખૂબ જ હળવો ચેપ લાગ્યો હતો.