એક પ્લાઝમા ડોનેરના કારણે બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે, ત્યારે સુરતના ફૈઝલ ચુનારા નામના યુવકે એક કે બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી છ દર્દીઓને જીવનદાન આપ્યું છે. મહત્વ છે કે, ત્રણ વખત પ્લાઝમાં ડોનર કરનાર ફૈઝલ ગુજરાતનો પ્રથમ ડોનર બન્યો છે.
કોરોનાની મહામારી શરૂ થઈ તે સમયે માર્ચ મહિનામાં દુબઈમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ નો વેપાર કરનાર ફેઝલ ચુનારા અન્ય લોકોની જેમ જ વતન ભારત આવવા માંગતો હતો. જો કે ગંભીર મહામારીને પગલે લિમિટેડ ફલાઇટ ચાલી રહી હતી, કેટલાક ભારતીયો દ્વારા ભારત આવવાની માંગણી કરવામાં આવી હતી જેથી ભારત દૂતાવાસે કેટલીક વ્યવસ્થા કરી આપી હતી. જે ને કારણે ફેઝલ પણ ભારત આવી ગયો હતો. વિદેશથી આવ્યો હોવાથી ફૈઝલમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 19 માર્ચના રોજ ફૈઝલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.