રાજ્ય સરકારે ફી અંગે કરેલા નિર્ણયના વિરોધમાં હવે શાળા સંચાલકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોટના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે શાળા સંચાલક મહામંડળે 12 રાજ્યોની હાઇકોર્ટના ચૂકાદાને આધારે પિટીશન દાખલ કરી છે. ત્યારે મહત્વનું છે કે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓને ફી લેવાની મનાઇ ફરમાવી છે.
ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકો અને 4 લીાખથી વધારે કર્મચારીઓની નોકરી પર જોખમ આવી ગયું છે. જે અંતર્ગત સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે
હાઈકોર્ટના વાલીઓ પાસેથી ફી ન ઉધરાવવાના નિર્ણય બાદ સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદમાં શિક્ષકોની હાલત કફોડી બની રહી છે કેમકે, સરકારે ઓનલાઇન શિક્ષણની ફી લેવાનું બંધ કરી દેતા શાળા સંચાલકોએ પણ શિક્ષકો સહિત શાળાના સ્ટાફને પગાર આપવાની અસમર્થતા દર્શાવવા લાગ્યા છે. આ મામલે ખાનગી શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે શિક્ષકો અને સ્ટાફને પગાર આપવો તમને પોસાય તેમ નથી