કોરોનાની મહામારીમાં એસટી વિભાગમાં રોજ અપડાઉન કરતા મુસાફરો માટે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં પાસ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ જિલ્લામાં ૧૭૦થી વધુ લોકોએ પાસ બનાવડાવ્યા છે, જેને પગલે એસટીને ૨ લાખથી વધુની આવક થઈ છે.
ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 1 હજારને પાર થયા છે. આજે પણ રાજ્યમાં 1068 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત જિલ્લમાં 12 જ્યારે અમદાવાદ, વડોદરા અને કચ્છમાં ત્રણ-ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. તો ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ અને તાપીમાં એક-એક દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 2283 થયો છે.