Government gives gift of Rs 10 lakhs: કર્મચારી અને નિવૃત્ત પેન્શનર્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર
Government gives gift of Rs 10 lakhs: ગુજરાત સરકારના તમામ અધિકારી-કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ માટે એક સુખદ સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” હેઠળ PMJAY યોજનામાં G કેટેગરીના કાર્ડ ધારકો માટે પ્રતિ કુટુંબ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર સુવિધા આપવામાં આવશે.
આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છતા કર્મચારીઓ, નિવૃત પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, લાભ મેળવવા માટે સંબંધિત આશ્રિત કુટુંબીજનોની વિગતો સહિત પ્રમાણપત્ર જારી કરવાનું આવશ્યક રહેશે, જે કર્મચારીની કાર્યસ્થળની અધિકારી દ્વારા નિયત નમૂનામાં પૂરુ પાડવામાં આવશે.
૧૦ લાખ સુધી કેશલેસ સારવારની સુવિધા
PMJAY યોજના અંતર્ગત ‘G’ કેટેગરી કાર્ડ ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળે છે, જેમાં દરેક કુટુંબ માટે રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ રહેશે. આ યોજનાનું અમલ રાજ્યની સ્ટેટ હેલ્થ એજન્સી (SHA) દ્વારા કરવામાં આવે છે, જે PMJAY કાર્ડનું વિતરણ અને સંચાલન કરે છે.
નિવૃત કર્મચારીઓને પણ મળશે લાભ
આ યોજના અંતર્ગત નિવૃત થયેલા કર્મચારીઓ અને પેન્શનર્સને પણ લાભ મળવાનો છે. આ માટે સંબંધિત કચેરીના વડા દ્વારા નિયત ફોર્મેટમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. પેન્શનર્સ માટે આ પ્રમાણપત્ર પેન્શન ચૂકવણાં કચેરીમાંથી જ જારી કરાશે.
વિધિ અને નિયમોનું પાલન જરૂરી
આ યોજનામાં લાભ લેવા માટે કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોના આધાર નંબર સહિતની વિગતો પણ એ-કેવાયસી પ્રક્રિયાના ભાગરૂપે શામેલ હોવી જરૂરી છે. જો કર્મચારી કોઈ કારણસર નિયમિત નિમણૂક વિના સેવા છોડે અથવા પેન્શન લાયક ના રહે, તો તેની માહિતી કચેરીના વડા દ્વારા SHAને તરત જ મોકલવામાં આવશે જેથી લાભાર્થીઓની યાદી સુધારી શકાય.
આ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હેઠળ લાવવામાં આવી છે, જે રાજ્યના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આરોગ્ય સેવાઓમાં મોટી મદદરૂપ થશે.