ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પીજીના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા 30 જૂલાઈના રોજ M.E, M.C.A અને M.B.A ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યોજાનારી પીજીના ઈન્ટમિડીયેટ સેમેસ્ટરની પરીક્ષાઓ રદ્દ કરીને ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના પી.જી.ના ઈન્ટરમિડીયેટ સેમેસ્ટરના 2000 થી વધારે વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપીને આગળના સેમેસ્ટરમાં મોકલી દેવાશે જ્યારે અંતિમ વર્ષના 1000 થી વધારે વિદ્યાર્થીઓની 30 જૂલાઈના રોજ ઓનલાઈન અને 17 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા યોજાશે.
નોંધનીય છે કે પરીક્ષા રદ્દ કરીને મેરીટ બેઝ પ્રમોશન આપવાની માંંગ કરતા જીટીયુના હજારો વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રોગ્રેશનના નિર્ણયથી રાહત મળી છે. આ પહેલા જીટીયુ દ્વારા પીજીના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર હતી, પરંતું કોરોના સંક્રમણે જોતા અંતિમ વર્ષ સિવાયના તમામ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓના પરીણામ પ્રથમ અને બીજા સેમેસ્ટરના મેરીટ પરથી તૈયાર કરવામાં આવશે. પરીણામ બાદ જો કોઈ વિદ્યાર્થીઓ પોતાના પરીણામથી અસંતુષ્ટ હોય તો તેઓ માટે ફરીથી ઓગસ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોનાની મહામારીને જોતા આ વર્ષે જીટીયુ દ્વારા અંતિમ વર્ષના યુજી અને પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એમસીક્યૂબેઝ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે3 0 જૂલાઈના રોજ યોજાશે.