UNO એ 13 મી સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર 2020ના રોજ 14માં “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે પોતાના અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણશિંગુ ફૂંકયું હતું. હાલની સ્થિતિ મુજબ જો જોવા જઈએ તો ગુજરાત સહિત દેશના આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ત્યારે વિકાસની આડમાં સરકાર આદિવાસીઓના મૂળભૂત હકો છીનવી રહી છે, આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી છે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે સહિત અનેક આક્ષેપો જે તે વિસ્તારના આદિવાસીઓએ સરકાર પર લગાવ્યા છે.
ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં સ્થાનિક આદિવાસીઓના ધંધા રોજગાર માટેના લારી-ગલ્લાઓ તંત્રએ હટાવી લેતા વિવાદ વકર્યો હતો. 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓએ પોતાના મૂળભૂત અધિકારો મેળવવા સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંકયું હતું.