Gujarat Air India Plane Crash : વિશ્વાસ કુમાર રમેશ ગંભીર હાલતમાં આગમાંથી બહાર આવતાં કેમેરામાં કેદ
Gujarat Air India Plane Crash : 12 જૂન, 2025ના રોજ અમદાવાદ નજીક થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં જ્યાં 241 મુસાફરોના મોત થયા હતા, ત્યાં એક મુસાફર એવો હતો જે મૃત્યુના મુખમાંથી બચી ગયો. આ વ્યક્તિનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ – બ્રિટિશ નાગરિક અને ભારતીય મૂળના વ્યક્તિ. હવે અકસ્માત પછીનો વિશ્વાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ ગંભીર સ્થિતિમાં પણ ભીષણ આગમાંથી બહાર આવતાં જોવા મળે છે.
પગે ચાલીને આગમાંથી બહાર આવ્યો
વિડિયો જોઈને રુંવાટા ખડી ઉઠે એવો દ્રશ્ય છે. વિમાન ક્રેશ પછી થયેલી ભયાનક આગ વચ્ચે, સફેદ ટી-શર્ટ પહેરેલા વિશ્વાસ આગ તરફથી ધીમે ધીમે બહાર આવતા જોવા મળે છે. આસપાસ હાહાકાર મચેલો છે. કેટલાક લોકો તેમને ત્યાંથી દૂર જવા ચીસો પાડી રહ્યા છે, તો કંઈક વ્યક્તિએ તેમના હાથ પકડીને સુરક્ષિત જગ્યા તરફ દોર્યા હતા. વિશ્વાસ ઘટના સમયે પોતાનું મોબાઇલ પણ સાથે રાખેલો હતો અને લોકોએ જણાવ્યું કે તેમણે કહ્યું હતું, “હું એજ વિમાનમાં હતો જે ક્રેશ થયું.”
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત લીધી
વિશ્વાસ કુમાર રમેશને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર કાર્ય ચાલી રહ્યું છે. તેમની હાલત સ્થિર જણાવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હતી અને તેમના સાજા થવાની આશા વ્યક્ત કરી હતી.
अहमदाबाद प्लेन क्रैश हादसे का एक Video सामने आया। इसमें एकमात्र जीवित बचे यात्री रमेश विश्वास कुमार (व्हाइट टीशर्ट) आग की लपटों वाले प्वाइंट से पैदल बाहर की तरफ आ रहे हैं। वो फोन पर किसी से बात कर रहे हैं। pic.twitter.com/247KCH7tdN
— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025
દુર્ઘટનાનું સ્થળ અને મૃત્યુઆંક
વિમાન Sardar Vallabhbhai Patel International Airport પરથી લંડન માટે ટેકઓફ થયું હતું અને ટૂંક સમયમાં જ તેનો સંપર્ક તૂટ્યો. વિમાન, અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ નજીકના હોસ્ટેલના વિસ્તારોમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો હતા, જેમાં 169 ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોનો સમાવેશ થતો. કુલ મૃત્યુઆંક 274 સુધી પહોંચ્યો છે જેમાં ભૂમિ પરના લોકોનો પણ સમાવેશ થાય છે.
દેશભરમાં દુઃખની લાગણી
વિશ્વાસના જીવતા બચી જવાનું અદભૂત ઉદાહરણ બન્યું છે. તેમની હિંમત અને ભગવાનની કૃપાથી તેઓ બચી ગયા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી છે…