અમદાવાદ 14 સપ્ટેમ્બર 2023
માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મિત્રતા દેખાઈ આવી હતી. જે રીતે અહમદ પટેલની દોસ્તી મોદી સાથે જાહેરમાં ન હતી પણ ખાનગી હતી. પણ ગેહલોતની બે રીતે દોસ્તી છે. એક જાહેર અને બીજી ખાનગી દોસ્તી.
અશોક ગેહલોતના વખાણ નરેન્દ્ર મોદી વારંવાર કરી રહ્યાં હતા ત્યારે ગેહલોતના હરિફ સચિન પાયલટે કોંગ્રેસ નેતૃત્વને જાહેરમાં કહ્યું હતું કે, બન્નેની મિત્રતાને હળવાશથી લીધા જેવી નથી. ગુજરાતના નેતાઓ અને મોદી સાથે અંગત સંબંધો છે.
મોદી ધાર્યું નિશાન પાર પાડવા માટે રાજસ્થાન અને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તે પણ કોંગ્રેસના નેતાઓના કારણે. ગુજરાતમાં જે રીતે છૂપા એજન્ટ તરીકે અહેમદ પટેલ હતા તો જાહેર એજન્ટ તરીકે ભરત સોલંકી રહ્યાં છે. ભરત સોલંકી પોતે ભાજપને અંદરથી અને જાહેરમાં મદદ કરતાં હોય એવા અનેક દાખલા મોજુદ છે. પણ અશોક ગેહલોત અને મોદી વચ્ચેના જાહેર સંબંધો ખાનગી છે. અશોક ગેહલોત પણ ભરત સોલંકી દ્વારા પોતાના ઓપરેશનો પાર પાડતાં આવ્યા છે.
ગુજરાત ચૂંટણી પર નજર રાખતા સ્વતંત્ર નિરીક્ષકોને પણ મોદી અને ગેહલોત વચ્ચેની મિત્રતા ભાલા જેવી લાગે છે. જે ધાર્યું નિશાન પા પાડે છે.
બન્ને નેતાઓ પોત પોતાના રાજ્યો જાળવી રાખવા માટે પંકાયેલા છે. તે જ જાહેર રહસ્ય છે. મોદી માટે ગુજરાત ખોવું પોષાય તેમ નથી. તેથી મોદી ગુજરાતની ગાદી રાળવી રાખવા માટે ગમેતે કરી શકે છે. ગેહલોત સાથે સમજૂતી પણ કરી શકે એ હદે મોદી જઈ શકે છે. બન્ને એક બીજાના રાજ્યો કુટનીતિથી જાળવી રાખી શકે છે. આવું જ છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણી વખતે જોવા મળ્યું હતું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાહુલ મેદાને હતા. પણ 2022ની ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ક્યાંય ન હતા.
2017
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત હતા.
2017 ગુજરાત વિધાનસભા જીતી શકાય તેમ હતી. વરિષ્ઠ નેતૃત્વની ઈરાદાપૂર્વકની ભૂલોથી હાર્યા હતા. ખાસ તો ટિકિટોની ફાળવણીમાં અશોક ગેહલોતે ઘણી ભૂલો ઈરાદાપૂર્વકની કરવા દીધી હતી. કાર્યકરો અને અમુક નેતાઓની અવગણના કરવા દીધી હતી. ભાજપને સામેથી પ્રચારના મુદ્દા મળે એવા તરકટો થયા હતા. આ બધું જ ભગવા પક્ષની જીતની ખાતરી કરી આપી હતી. નહીંતર પાટીદારોના સહયોગથી અને હાર્દિક પટેલની કુનેહથી કોંગ્રેસ સત્તા પર 2017માં આવી શકી હોત. સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ હંમેશા સારો સ્કોર કરવામાં સફળ રહી છે. તેની પાસે સમર્પિત મત બેંક છે.
ડિસેમ્બર 2017માં 182 ધારાસભ્યોમાંથી 77 જીત્યા હતા. 1991 પછીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. પણ ત્યાર પછી કોંગ્રેસે ભૂલો કરી અને 77 બેઠકો લાવનારાઓ પક્ષ છોડીને જતા રહે એવી ગંદી રાજનીતિ રમવા દેવામાં આવી હતી. ભાજપને 99 બેઠકો સુધી શરમજનક રીતે લાવી દીધી હતી. 22 વર્ષમાં રાજ્યમાં ભગવા રંગની સૌથી ઓછી સંખ્યા હતી. કોંગ્રેસના 77 ધારાસભ્યો ઘટીને 65 થયા અને ભાજપના 99 ધારાસભ્યોમાંથી વધીને 111 થયા હતા.
2022
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક ગેહલોતે વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. કોંગ્રેસે ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી હતી. 5,400 કિલોમીટર ફરીને 145 જાહેર સભાઓ અને 95 રેલીઓ થઈ હતી.
ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત પ્રભારીનું પદ ખાલી થયું હતું. કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ હતા. કોરોનામાં તેમનું અવસાન થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી. બન્નેની નિમણુંક સાથે થઈ હતી. રાજીવ સાતવે અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી હતી.
કોંગ્રેસે લાંબી રાહ જોયા બાદ ગુજરાત પ્રભારી તરીકે રઘુ શર્માને ઓક્ટોબર 2021માં જાહેર કર્યાં હતા.
રાજસ્થાન સરકારમાં આરોગ્ય પ્રધાન રઘુ શર્માને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીક છે. તેઓ અજમેર જિલ્લાની કેકરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. અગાઉ તેઓ લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો ત્યારે સીએમ અશોક ગેહલોતની રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. પરંતુ આ વખતે ગેહલોતનો જાદુ ચાલી શક્યો નહીં. ચૂંટણીમાં ખરાબ હારની જવાબદારી લેતા પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. પરંતુ હાર થઈ છતાં ગેહલોત તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું ન હતું. જે શંકા પેદા કરે છે.
ગેહલોતે રઘુ શર્માને ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. હિમાચલમાં પ્રભારી સચિન પાયલટના કારણે કોંગ્રેસની જીત થઈ હતી.
શર્માની ગણતરી ગેહલોતના નજીકના નેતાઓમાં થાય છે. શર્મા પ્રભારી બન્યા ત્યારે રાજસ્થાનના આરોગ્ય પ્રધાન હતા. પણ ગુજરાતમાં પ્રધાન બન્યા બાદ તેમણે આરોગ્ય પ્રધાન પદથી રાજીનામું આપીને ગુજરાતના પ્રભારી બનવાનું પસંદ કર્યું હતું. જે ઘણી શંકા પેદા કરે છે.
પાયલોટે દરેક મીટિંગમાં મોદી સરકાર અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. એવું ગેહલોતમાં આક્રમકતા મોદી માટે સહેજ પણ ન હતી.
રાજસ્થાનના સંઘર્ષની સીધી અસર ગુજરાત પર પડે છે
પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ હોવા ઉપરાંત ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર માટે વરિષ્ઠ નિરીક્ષક તરીકેની જવાબદારી પણ ગેહલોત પર આવી હતી.
ગેહલોત 2022ની ચૂંટણીમાં એટલું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા ન હતા, જેટલું તેમણે 2017ની ચૂંટણીમાં ધ્યાન આપ્યું હતું. ગેહલોત મોટાભાગનો સમય રાજસ્થાનમાં રહ્યા. ગેહલોત સામે રાજસ્થાનમાં બળવો થયા પછી તેના પ્રધાનો અને ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર માટે ગયા ન હતા. જેની અસર ચૂંટણી પર પણ પડી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદ ગેહલોતે ઠુકરાવી દીધું અને તેની ચૂંટણીની અસર ગુજરાતના પ્રચાર પર પણ પડી હતી.
જ્યારે ગેહલોત 2017ની ગુજરાત ચૂંટણીમાં પ્રભારી હતા, ત્યારે તેમની ચૂંટણી લડવાની શૈલી અને પ્રચારને લઈને ઘણી ચર્ચા થઈ હતી. કોંગ્રેસના વોર રૂમથી લઈને મેદાન સુધી ગેહલોતનો પ્રભાવ અને હાજરી હતી. 2022માં બંને નબળા હતા. ગુજરાતની હાર પછી ગેહલોતના વિરોધીઓએ રાજકીય જાદુગર અને રણનીતિકાર સામે સવાલો ઊભા કર્યા હતા. પણ તેમની રણનીતિ ગુજરાતમાં સાવ નિષ્ફળ રહેતી આવી છે.
ગુજરાતની ચૂંટણીમાં રાજસ્થાન મોડલ લાગુ કરવાનું કોંગ્રેસનું ચૂંટણી વચન સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યું હતું. કોંગ્રેસે તેના ઢંઢેરામાં રાજસ્થાનની લાભદાયી યોજનાઓને ગુજરાતમાં અમલી બનાવવાનું વચન આપ્યું હતું. એ વચન ગુજરાતમાં કામ ન આવ્યું. જૂની પેન્શન લાગુ કરવાનું વચન હિમાચલ પ્રદેશમાં મોટો મુદ્દો બની ગયો હતો. ગેહલોતે હિમાચલ પ્રદેશમાં રાજસ્થાન મોડલ લાગુ કરવાની ચૂંટણી સભાઓમાં જાહેરાત કરી હતી, જ્યાં ગેહલોત ચોક્કસપણે તેનો શ્રેય લઈ શકે છે.
આ બધું ઘણું કહી જાય છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે એઆઈસીસીમાં ચાર નામની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે. આમાં બીકે હરીપ્રસાદ, રમેશ ચેનિથલા, અભિષેક પાંડે અને અજય માકન આ રેસમાં સૌથી આગળ હતા છતાં તેમાંના કોઈ ન નિયુક્ત થયા.
કોણ છે ભેદી
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં વિગતો હતી. કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો. કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનું માનવામાં આવે છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા.
તેના માટે કોણ જવાબદાર? એ પ્રશ્ન આજે પણ અશોક ગેહલોતને પૂછવામાં આવી રહ્યો છે. શું તેઓ આ બધું જાણતાં ન હતા?
તેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક મેળવી શકી હતી.
આ વાત કોંગ્રેસ માટે આઘાત જનક નથી. પ્રજા માટે છે.
કોંગ્રેસની માત્ર હાર નહીં પણ ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવાનું વિપક્ષનું ષડયંત્ર છે. 4 જાન્યુઆરી 2023ના રોજ 3 સભ્યોની સત્ય શોધક સમિતિમાં નીતિન રાઉત અધ્યક્ષ હતા. કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં રૂપિયા લઇને ટિકિટો આપવામાં આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો.
ઉમેદવારોની પસંદગીમાં પણ મારા – તારાને ટિકિટો આપી હતી. ચૂંટણી સમયે અનેક લોકોએ વિરોધ હતો. પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવાર બદલવાની માંગણી સાથે દેખાવો પણ કર્યા હતા. સત્ય શોધક સમિતિએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારી બદલવાની પણ ભલામણ કરી હતી. પ્રભારી તો અશોદ ગેહલોતે મૂક્યા હતા. તો જવાબદાર તો ગેહલોત જ છે. રાજસ્થાન મેળવવા ગુજરાતની ભેટ આપવામાં આવી હોવાના આરોપો આજ સુધી લાગતાં રહ્યાં છે.
અશોક ગેહલોતને 5 – 6 જણાએ સમજાવી લીધું હતું કે સંભાળી લઈશું. ગેહલોત માની પણ ગયા અને પછી ભાગબટાઈ થઈ. ભરત સોલંકી, ગૌરવ પંડ્યા, કદીર પીરઝાદા જેવા નેતાઓની ભૂંડી ભૂમિકા હતી. અમિત ચાવડા વતી ભરત સોલંકીએ રમી લીધું હતું. ગેહલોત એકાએક ટિકિટ આપવા અને છેલ્લાં દિવસોમાં પાછી પડી જતાં જોવા મળે છે. તેઓ સ્થાનિક નેતાઓ પર બધું છોડી દેવા લાગે છે. ગેહલોત 3 મહિના સુધી સક્રિય રસ લીધો હતો. વિધાનસભા દીઠ બધાને બોલાવતાં હતા. પછી તેમણએ મૂકી દીધું. કેમ ? શું છે રહ્સ્ય ?
એઆઈસીસીમાંથી 2017 પછી, 2022 પછી ગુજરાતમાં રસ નથી. રાહુલે ગુજરાતમાં કેસ થયો તેણે 5 વખત આવવું પડ્યું હતું. બધા નેતાઓ રાહુલ સામે જુટ્ઠુ બોલ્યા હતા. અહેમદ પટેલથી લઈને બીજા નેતાઓએ વિશ્વાસઘાત કર્યો હતો. કેન્દ્રને ગુજરાતના નેતાઓ ભરશો નથી.
મુકુલ વાસનીક અહેમદ પટેલા ખાસ માણસ છે. તેઓ ગેહલોત સાથે સારા સંબંધો ધરાવે છે.
ગુજરાતને હવે કોઈ ફંડ લોકસભામાં નહીં આપે. કોંગ્રેસના છેલ્લા દિવસો છે. હવે વિખેરી નાંખવામાં નહીં આવે તો જાતે વિખેરાઈ જવાની છે. 2022માં છત્તીશગઢે ફંડ આપ્યું હતું . હવે કોઈ ફંડ નહી આપે. આપે તો મજબૂરીથી આપશે.
શક્તિસિંહને મૂક્યા તે માટે રાહુલે ખડગેને કહ્યું હતું કે ગુજરાતમાં તમે જે કરવું હોય તે કરો. 22 વર્ષથી લોકોની વચ્ચે કોંગ્રેસના નેતાઓ દીલથી ગયા નથી, કચેરીમા હોય છે. નવા લોકો કોંગ્રેસ સાથે આખા ભારતમાં જોડાય છે પણ ગુજરાતમાં જોડાતા નથી. મેદાનમાં આવવું નથી. અને છે તેને કામ કરવું નથી.
શક્તિસિંહને કોઈ કાયમી મિત્ર નથી. બે ત્રણ વર્ષ સંબંધો રાખે છે, પોતાને રાજા સમજે છે.
લોસભામાં પણ ભગવાનની દયાથી બેઠકો આવશે. કોંગ્રેસના કોઈ પ્રયાસો નથી. 26માંથી 20 બેઠકો કોંગ્રેસ લઈ શકે તેમ છે. છતાં નિષ્કિરય છે. ભાજપને પૂછીને કોંગ્રેસ ચાલે છે. ભાજપ સાથે મળીને રાજનીતિ કરવામાં આવે છે. ભાજપ સાથે કોંગ્રેસના નેતાઓના સાથે સંબંધો છે. મોદીએ જવાબ આપવો પડે એવા 2009થી કોઈ જવાબ આપવો પડે એવી કોઈ પ્રેસનોટ પણ નથી જતી.