રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાયકોસિસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાયકોસિસથી 70 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીમાં હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ આ રોગ માટે વપરાતા ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. ઈન્જેક્શન મેળવવા દર્દીના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શન નથી તેવા બોર્ડ લટકી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પણ સાવ ધીમુ થઈ ગયું છે. સરકાર પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. અને ટેસ્ટિંગ ડોમ પણ બંધ હાલતમાં છે. તેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકો પણ હાલાકીમાં મૂકાયા છે.અમદાવાદમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓના પરિવારજનોએ રઝળપાટ કરવી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદમા એલ જી હોસ્પિટલમા ઇન્જેક્શન મળશે. પરંતુ દર્દીઓના સ્વજનો ઇન્જેક્શન લેવા માટે લાંબી કતાર લગાવીને ઉભા રહેલા જોવા મળ્યાં છે.હોસ્પિટલ બહાર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે ઇન્જેક્શન ઉપલબ્ધ નથી. એક બાજુ લોકો વહેલી સવારથી ઇનજેક્શન માટે લાઇન લગાવી દે છે તો બીજી તરફ હોસ્પિટલના દરવાજા બંધ કરી બાઉન્સરોને ગોઠવી દેવાયેલા જોવા મળ્યા છે.
ઇન્જેક્શન લેવા આવતા દર્દીઓના પરિવારજનોનું માનીએ તો ઇનજેક્શન માટે આમથી તેમ એકથી બીજી હોસ્પિટલમા ફેરવવામા આવે છે. સરકારે માર્કેટમાંથી બધા ઇન્જેક્શન લઇ લીધા છે તો પછી દર્દીઓને આપતા કેમ નથી તેવો સવાલ ઉભો થયો છે. ઇન્જેક્શનના અભાવે દર્દીઓનુ મોત થશે તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકો પૂછતા જોવા મળ્યા છે. સરકાર દ્વારા આયોજનના અભાવે ઇન્જેક્શનના કાળા બજાર થઇ રહ્યા હોવાનો આક્ષેપ લોકો કરતા જોવા મળ્યાં છે.રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાયકોસિસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકોરમાયકોસિસથી 70 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીમાં હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મ્યુકોરમાયકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ આ રોગ માટે વપરાતા ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. ઈન્જેક્શન મેળવવા દર્દીના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શન નથી તેવા બોર્ડ લટકી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પણ સાવ ધીમુ થઈ ગયું છે. સરકાર પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. અને ટેસ્ટિંગ ડોમ પણ બંધ હાલતમાં છે. તેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકો પણ હાલાંકીમાં મુકાયા છે.