Gujarat monsoon weather update: માછીમારો માટે 1 જૂન સુધી દરિયામાં ન જવાની ખાસ ચેતવણી
Gujarat monsoon weather update: ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના અનુસંધાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશનના સક્રિય થવાથી વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની શકયતા છે.
આજના દિવસે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 17 જેટલા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
સાથે જ દમણ અને દાદરા-નગરહવેલી જેવા સંઘ પ્રદેશોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. મોસમ વિભાગે માછીમારો માટે ખાસ સતર્કતા અપાઈ છે—તેઓને 1 જૂન સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે આ દરમિયાન દરિયાઈ સ્થિતિ અસામાન્ય રહી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યની રાજધાની સહિત કેટલાક મહત્વના શહેરોમાં વાદળછાયુ આકાશ જોવા મળવાની શક્યતા છે. જોકે તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઉછાળો પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં પારો 39 ડિગ્રી નજીક રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં હજી અણધાર્યા માવઠાની સ્થિતિ બની રહી છે, જેના પગલે ખેડૂતો, પ્રવાસીઓ તેમજ માછીમાર સમુદાયે ખાસ સાવચેતી રાખવી જરૂરી બનશે.