હું ભાજપમાં જન્મ્યો છું અને ભાજપમાં જ મરીશ, કોંગ્રેસ સપનાં ના જુએ – નીતિન પટેલ
ગાંધીનગર– ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે હું ભાજપમાં જ જન્મ્યો છું અનેભાજપમાં જ મરીશ. કોંગ્રેસે કોઇ ખ્વાબ જોવાની જરૂર નથી. તેમણે વિધાનસભામાં કોંગ્રેસનીટીખળનો જવાબ આપતાં આમ કહ્યું છે.
વિધાનસભાની પ્રશ્નોત્તરી સમયે એક પ્રશ્નના ઉત્તરમાં જ્યારે કોંગ્રેસના સભ્યોએ ભાજપનાસભ્યો અંતે કોઇ કોમેન્ટ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમારામધ્યપ્રદેશમાં તો કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યાં છે. કોંગ્રેસના સભ્ય વિરજી ઠુમર કહેતા હતા કેદુખી નિતીનભાઇ કોંગ્રેસમાં આવી જાય, તેમને અમે મુખ્યમંત્રી બનાવીશું. વિરજીભાઇ તમારાસપનાં પુરાં થવાના નથી.
પ્રદીપસિંહે સભાગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાની અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનેઆડે હાથ લીધા હતા. પોલિટીકલ કોમેન્ટ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ખોટા સપનાં જોવાનાબંધ કરે, કેમ કે અમારે ત્યાંથી ધારાસભ્ય તો ઠીક પાર્ટીનો એક પણ કાર્યકર કોંગ્રેસમાં જવાનોનથી. જાડેજાએ કહ્યું કે કોંગ્રેસે તેમનું ઘર સંભાળવું જોઇએ.
ગૃહ રાજ્યમંત્રીએ કોમેન્ટ કરી કહ્યું હતું કે તમારે ત્યાં કેટલા ધારાસભ્યો ફેન્સિંગ પર બેઠાં છે તેસમય આવ્યે ખબર પડશે. આ તબક્કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તક ઝડપીને કહ્યું કે આનિતીનભાઇ ભાજપમાં જન્મ્યો છે અને ભાજપમાં જ મરવાનો છે. તમે ખોટાં સપનાં જોશો નહીં.
ખોડલધામમાં હું એકલો છું અને મારી સામે બઘાં છે તેવા કરેલા નિવેદન અંતે સ્પષ્ટતા કરતાંનીતિન પટેલે કહ્યું હતું કે મારૂં આ નિવેદન વિધાનસભા માટે હતું. મારે તમારી (કોંગ્રેસનાધારાસભ્યો) સામે લડવાનું છે. હું એ સંદર્ભમાં બોલ્યો હતો. તમારે હરખાઇ જવાની જરૂર નથી. તમારે તો તમારૂં ઘર બચાવવાનું છે. વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અમે આખા ગુજરાતનીચિંતા કરીએ છીએ.
કોંગ્રેસના સભ્યોને ઉદ્દેશીને નીતિન પટેલે કહ્યું હતું કે નીતિનભાઇ આમ કરશે, નીતિનભાઇ તેમકરશે તેવું વિચાર્યા વિના તમે તમારૂં ઘર સંભાળો. ભ્રામક વાતો ફેલાવી તમારે હરખાવાની જરૂરનથી.