Gujarat: અમિત શાહ અને નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ મોરચો લઈ લેશે ત્યારે રૂપાલા અને રાજપુત વચ્ચેનો વિવાદ ઉકેલી દેવાશે. ભલે હાલ તો ચંદ્રકાંત પાટીલ પોતે આ વિવાદ ઉકેલવામાં સદંતન નિષ્ફળ રહ્યાં હોય.
જ્ઞાતિવાદ થઈ જાય એટલે ભાજપની તરફે મતદારો આવી જાય છે. અથવા સામે આવી જાય છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ સામ સામે આવી ગયો છે. જેમાં ભાજપના ફાયદો છે. કારણ કે એક બાજુ 18 ટકા મત ધરાવતો સમાજ છે તો સામે પક્ષે અઢી ટકા મત ધરાવતો સમાજ છે. આમ આ લડાઈ ઘણી શુક્ષ્મ છે. જેમાં ભાજપને સીધો ફાયદો 18 ટકા મતદારોનો છે.
ભાજપના ક્ષત્રિય નેતાઓ રૂપાલા વિવાદથી આનંદમાં છે. કારણ કે ભાજપના તમામ ક્ષત્રિય નેતાઓને નરેન્દ્ર મોદીએ કોરાણે મૂકી દીધા છે. હવે માત્ર રેવા બેન જાડેજા એક માત્ર ક્ષત્રિય નેતા રહેવા દીધા છે. તેથી ભાજપથી ક્ષત્રિય સમાજ આમેય નારાજ હતો. જેમાં વળી રૂપાલાએ પાણી નાંખ્યું એટલે ઢાળ મળ્યો છે. ઉમેદવારો ન બનાવવાના કારણે ભાજપથી ક્ષત્રિય સમાજ નારાજ છે.
અમરેલીમાં કાર્યલયને તાળું મારી દીધા અને ખુરશીઓ લઈ ગયા.
2022માં બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીના પ્રચાર માટે કેબિનેટ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા બોરસદ ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ચૂંટણી ન જીતાય. આવી વિપક્ષને સલાહ આપનારા રૂપિયા હવે પોતે જ ફસાયા છે.
દરેક ચૂંટણી વખતે ભાજપ ક્ષત્રિય અને પાટીદાર વિવાદો ઉભા કરે છે. જેમાં મત વિભાજન સ્પષ્ટ થાય છે. આ અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં અગાઉની ચૂંટણી સમયે પણ માનગઢ હત્યાકાંડનો 40 વર્ષ જૂની ઘટના ઉખેળી હતી. જેમાં પાટીદીરો અને રાજપૂતોને સામ સામે લાવી દેવાની ચાલ હતી.
જ્યારે બે કોમ સામ સામ આવે ત્યારે મતોનું વિભાજન કરવાનું ગણીત ભાજપ મૂકે છે.
આવી જ ચાલ પરસોત્તમ રૂપાલાની દેખાઈ રહી છે. ઈરાદાપૂર્વક તેમણે ભાજપની ચાલના એક ભાગ રૂપે જ નિવેદન કર્યું હોવાનું માનવામાં આવે છે. જેનાથી બે કોમ સામ આવે અને એક કોમ ભાજપની તરફેણમાં આવીને આંધળું મતદાન કરે.
ભાવનગરમાં પણ ભાજપના નેતા જીતુ વાઘાણી અને ક્ષત્રિય સામજને સામ સામે લાવીને ફાયદો લેવાયો હતો. ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ઉમેવારને ટિકિટ ન આપતા એક વર્ષ પહેલાં વિરોધ થયો હતો. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા એલાન આપ્યું હતું.
મોદીના ભાજપે ક્ષત્રિયનો રાજકીય વધ કરી નાંખ્યો છે. આજના ભાજપમાં કોઈ ક્ષત્રિય નેતાઓને રહેવા દેવાયા નથી. કરણી સેનાને ખતમ કરવામાં ભાજપ સરકાર સૌથી આગળ રહી હતી.
ભાજપમાં જેટલાં પણ ક્ષત્રિય નેતાઓ ઉંચા આવ્યા તેમને વધ મોદીની સૂચનાથી કરાયો છે. છેલ્લો વધ પ્રદીપ વાઘેલાનો કરાયો, પ્રદીપ જાડેજાને વેતરી નંખાયા હતા. ભૂપેન્દ્ર સૂડાસમાને ઘરભેગા કરી દેવાયા છે. ઈન્દ્ર વિજય જાડેજાને સુરેન્દ્રનગરના નેતા પણ રહેવા દીધા નથી. વજુવાળાનું હવે કોઈ અસ્તીત્વ નથી.
આમ જયશ્રી રામથી જ ચાલે છે એવું નથી. પણ જય જ્ઞાતિવાદ પણ ભાજપ ચલાવે છે. મરાઠા સંઘનો ઈરાદો તેમાં સ્પષ્ટ છે. મરાઠામાં જે રીતે એક જ જ્ઞાતીઓનું રાજ અંગ્રેજો પહેલાં હતું એવું હવે આખા ભારતમાં કરવા માંગે છે.
જેમાં ક્ષત્રિયો ન જોઈએ એવી નીતિ દેખાય છે. આજે રાજનાથસિંહની શું હાલત છે.
જયશ્રી રામ’ની ધફલી કૂટનારા જ્યારે ‘જય ભીમ’ના નારા લગાવે ત્યારે દંભ છતો થઈ જાય છે !
લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરુ થઈ ગયો છે. નેતાઓ લોકોને છેતરવા કળા કરી રહ્યા છે. ન બોલવાનું બોલી નાખે છે. જુમલાઓ ફેંકે છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મિનિસ્ટર પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠકના સત્તાપક્ષના ઉમેદવાર છે.
તેમણે રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં ભાષણ આપેલ કે “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા. પણ મારા રુખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો. એનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. હજાર વર્ષે રામ આના ભરોસે આવ્યો છે. ના તો એ ભયથી તૂટ્યા, ના ભૂખથી તૂટ્યા. તેઓ અડીખમ રહીને ટક્યા, એ જ સનાતન ધર્મ છે. એના તમે વારસદારો છો, અમને તમારા પર ગર્વ છે. જય ભીમ!”
પોલીસ ફરિયાદ થવાની શક્યતા અને ઊહાપોહ થતાં તેમણે માફી માંગી હતી. દલિતોને ભ્રમિત કરવા ગયા ત્યાં ક્ષત્રીયો સામે ભરાયા છે. સફાઈ કર્મચારીઓ આ વર્ગના છે. રામમંદિર અને રામનો ઉપયોગ પોતાની સત્તા ટકાવી રાખવા કરે છે.
દિલમાં રામ નહીં, ગોડસે છે. મનુસ્મૃતિવાળી વર્ણવ્યવસ્થા સ્થાપિત કરવી છે. દંભ છતો થઈ જાય છે. રૂપાલાની મદદે રાજકોટ ભાજપમાં વજુ વાળા સિવાય કોઈ મદદે ન આવ્યા.
પક્ષાંતર કરાવીને કે આવા વિવાદી નિવેદનો કરવાથી પક્ષ પર અંકૂશ રહી શકે નહીં.
કોંગ્રેસ નેતા અને લાઠી રાજના પૂર્વ રાજવી પરિવાર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. આદિત્ય ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે. આપને જણાવી દઈએ કે, પરસોત્તમ રૂપાલાએ નિવેદન બદલ માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે.
સુરેન્દ્રનગરમાં પુતળાનું દહન કર્યું છે.
ભાજપના નેતાઓએ તો અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું, પરંતુ ક્યાંક અંદરખાને ભાજપના જૂના જોગીઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષ હોય એવું પણ જણાઈ રહ્યું છે. 2002થી લઈને અત્યાર સુધી લગભગ 100 નેતાઓનું પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને હવે લાગે છે કે બહારથી આવેલા લોકો તેમનામાંથી ભાગ પડાવે છે. 60 હજાર કાર્યકર્તાઓને પક્ષાંતર કરાવીને ભાજપમાં 22 વર્ષમાં લાવવામાં આવ્યા છે. તેમાં 2024માં 15 હજાર કાર્યકરોને પક્ષાંતરથી લાવવામાં આવ્યા હતા.
વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, બનાવકાંઠા, રાજકોટ, પોરબંદર, વલસાડમાં
વડોદરા અને રાજકોટમાં ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની પસંદગીના વિરોધમાં પોસ્ટરો સામે આવ્યા હતા.
વિવાદ વકરતા માંગી હતી માફી
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. વીડિયો વાયરલ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. વાયરલ વીડિયો અંગે પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો. તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગુ છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.’ જોકે, પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે.
6 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ જ પટેલ અને ક્ષત્રિય સમાજને અંદર- અદર લડાવી મારવા માટે નિવેદન આપીને ક્ષત્રિય સમાજને નીચો દેખાડવા કામો કર્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બે દિવસના ગુજરાત પ્રવાસે હતા.
ભાવનગર ખાતે એક ચૂંટણી સભાને સંબોધન કરવા આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને એક તરફ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નરેદ્ર મોદીના આગમન પૂર્વે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ લોકો દ્વારા બેનર સાથે ‘હાય-રે મોદી હાય-હાય’ના નારા સાથે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલીતાણામાં થયેલ માનગઢકાંડને લઈને આ વિરોધ કરાયો હોવાનું વિરોધકર્તાઓએ જણાવ્યું હતું.
જો કે પોલીસે વિરોધ કરતા 50થી વધુ લોકો તેમજ પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ના કન્વીનર કેતન પટેલ સહિત 3ની પણ અટકાયત કરી હતી.
નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા અંગે એક્ઠા થયેલા પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે, માનગઢ બનાવને 32 વર્ષ થઈ ગયા તમામ સમાજો આ કડવી વાતને ભૂલી ગયા છતાં મોદીએ ખોટો વર્ગ વિગ્રહ ઉભો કર્યો હતો.
કાળા વાવટા સાથે તેમનો વિરોધ કરી રહ્યાં હતા.
મોદીએ સુરેન્દ્રનગરમાં પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં તે અંગે ભૂલ સ્વીકારી પાટીદાર-ક્ષત્રિય સમાજની માંફી માગે આવી માંગણી થઈ હતી.
મોદી હાય હાય, ફેંકુલોજી હાય હાય, સરદાર લડેથે ગોરોસે હમ લડેગેં જોરોસે…જય સરદાર-જય માતાજીના નારા લગાવ્યા હતા.
પટેલ મતો ભાજપની તરફે આખા સૌરાષ્ટ્રમાં જાય તેનો આ ખેલ છે. ઉમેદવારોનો વિરોધ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં છે. ભાજપથી ક્ષત્રિય સામજ આમેય નારાજ હતો. ભાજપમાં ક્ષત્રિય સામજના નેતાઓ આમેય નારાજ છે.
વાંકાનેરમાં રાજ પરિવારમાંથી રાજ્યસભાના સભ્ય બનાવી દેવાયા છે. રિવાબેન જાડેજાને ઊભા કર્યાં છે.
વિધાનસભામાં રાજપુત સમાજની ટિકિટો કાપી નંખ્યા છે. ભાજપને ઊભા કરનારા એક પણ ક્ષત્રિયને રહેવા દીધા નથી. રગેરગમાં સંઘ દોડે છે. ત્યાં હવે કોંગ્રેસ દોડવા લાગી છે. જૂના લોકોનો અંતરઆત્મા દુભાય છે. રાજેન્દ્રસિંહ રાણાની હાલત ખરાબ છે. મોદી મહેસાણામાં ડો એ કે પટેલને મળવા ગયા હતા. પણ રાજેન્દ્રસિંહ રાણાને મળવા ગયા ન હતા.