Gujarat: ગુજરાત સરકારે 25,300 કરોડનો પ્રોજેક્ટ પ્લાન કેન્દ્ર સરકારને મોકલ્યો છે. જેમાં વડોદરા અને રાજકોટ માટે સૂચિત મેટ્રો રેલ સેવાઓ અને અમદાવાદ મેટ્રોનું શહેરના એરપોર્ટ અને વૈશ્વિક ફિનટેક હબ ગિફ્ટ સિટી સુધી વિસ્તરણનો સમાવેશ થાય છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારને અપેક્ષા છે કે અંદાજિત ખર્ચના 50 ટકા કેન્દ્ર સરકાર ભોગવશે. જ્યારે તે આ ચાર પ્રોજેક્ટ માટે બાકીનું ભંડોળ એકત્ર કરશે.
ગિફ્ટ સિટીની અંદર અમદાવાદ મેટ્રો રેલના વિસ્તરણ અને વડોદરા અને રાજકોટથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ સુધી નવી મેટ્રો રેલ સેવાઓ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારને અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સના 50 ટકા ખર્ચ ભોગવે. સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર કેન્દ્ર ફંડને મંજૂરી આપે છે. ત્યાર બાદ રાજ્ય સરકાર પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે કારણ કે ચારેયનો ડીપીઆર તૈયાર થઈ ગયો છે.
અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ અને વાસણા-મોટેરા એમ બે કોરિડોર પર મેટ્રો સેવાઓ કાર્યરત છે.
અમદાવાદ અને ગાંધીનગરને જોડવાનું કામ અંતિમ તબક્કામાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટેરા અને ગાંધીનગર વચ્ચે મેટ્રો કામગીરી આવતા અઠવાડિયે શરૂ થવાની ધારણા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ગાંધીનગર મહાત્મા મંદિર સુધી લંબાશે અને આ રૂટ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.
અગાઉ, રાજ્ય સરકારે શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા મણિપુરને મેટ્રો રેલ સાથે જોડવાની યોજના પણ તૈયાર કરી હતી. મણિપુર-ગોધાવીમાં ઓલિમ્પિક વિલેજ અને નોલેજ સેન્ટર બનાવવાની રાજ્ય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને થલતેજને મણિપુર સાથે શીલજ દ્વારા જોડવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કારણ કે અમદાવાદ 2036 ઓલિમ્પિકની યજમાની માટે બિડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.