લોક-જંગ,ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 કાયદો બનાવાયો છે. અન્ય પછાત વર્ગ – OBCને 27 ટકા અનામત લાવી દેવામાં આવી છે. કુલ રાજકિય અનામત 50 ટકા થઈ ગઈ છે. રાજ્યના લગભગ 11 જિલ્લાઓમાં ઓબીસીની સંખ્યા ઘણી વધારે છે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને સીધો રાજકીય ખૂબ મોટો ફાયદો થશે, એવું મનાય છે. ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલે છે. ભાજપ સરકાર ઓબીસી માટેની અનામત વધારાઈએ મુદ્દાનો પૂરજોરમાં પ્રચાર કરી રહી છે. તેને પ્રભાવ ઊભો કરી રહી છે. નવી અનામત પ્રથા લાવવા માટે ચૂંટણીઓ રોકી રાખી છે. નવા અનામતના ધોરણો લાગુ થયાં બાદ અહીં ચૂંટણીઓ થશે. તેથી ભાજપને ફરી એકવાર આ સંસ્થાઓમાં પણ વર્ચસ્વ જમાવવાની મોટી તકો મળી શકે છે.
પણ, 2021માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. ત્યારબાદ વર્ષ 2022માં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જુલાઈ 2022માં ઓબીસીની 10% અનામત નાબૂદ કરવામાં આવી હતી. આમ કેમ? ચોમાસા પહેલાં આનામત જાહેર કરવાની હતી. ત્યાર પછી તુરંત ચૂંટણી યોજવાની હતી. પણ તેમ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. 2023માં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકા અને 3835 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. તેમાં અનામતનો પહેલો અમલ થશે.
ગુજરાતમાં 182 પૈકી 48થી 50 બેઠકો સીધી જ ઓબીસી જ્ઞાતિના સંપૂર્ણ પ્રભાવ હેઠળ છે. 146 ઓબીસી જ્ઞાતિઓ પૈકી 40 જ્ઞાતિઓ વસતીનું ખૂબ મોટું પ્રમાણ છે. 3 કરોડ 50 લાખ અન્ય પક્ષાત વર્ગની વસતી હોઈ શકે છે.
ભાજપે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેના પક્ષના 50 ધારાસભ્યો ઓબીસી સમાજના છે. તેનો સીધો મતલબ એ થયો કે, 30થી 33 ટકા ભાજપના 30થી 33 ટકા ધારાસભ્યો અન્ય પક્ષાત વર્ગના છે. તેની સીધો અર્થ એ નિકળે છે કે તો પછી 27 ટકા ઓબીસી અનામત જ કેમ આપી. હાલ 33 ટકા તો તેમની પક્ષના છે જ. આ એક મોટો સવાલ ગુજરાતના રાજકારણમાં પુછવામાં આવી રહ્યો છે. જોકે, ઓબીસી અનામત વિધાનસભા અને લોકસભામાં કોઈ ફેર પડશે નહીં.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ST કે OBCની બેઠક ઘટી નથી, પરંતુ ઓબીસીની 11,390 બેઠકો વધી છે. ઓબીસી અનામત 10 ટકાને બદલે 27 ટકા અનામત આપી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં સત્તાધારી પક્ષ ભાજપે ગુજરાત રાજ્યમાં 50 ટકા ઓબીસી મતો અંકે કરી લેવા માટે 27 ટકા અનામત આપીને પછાતોનું રાજકારણ શરૂ કર્યું છે. હવે પછીની સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી ઉમેદવારો અને પદાધિકારીઓ માટે વધારે બેઠકો મલશે.
એવી આશા હતી કે ભારતને પરેશાન કરતી અનામત પ્રથા મોદી વડાપ્રધાન બનતાની સાથે જ દૂર કરશે. પણ અનામતની પ્રથાને મોદીની સૂચનાથી ગુજરાતે નાબૂદ કરવાના બદલે વધારી છે. સ્થાનિક સંસ્થામાં 27 ટકા અનામત આપનારા રાજ્યોમાં ગુજરાત ચોથું રાજ્ય છે.
સફળતામાં શંકા
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનાં એકમો પ્રમાણે વસ્તી ગણતરી કરાવી તે મુજબ અનામત આપવાની થાય છે. એવી ઝવેરીની ભલામણ છે. ઝવેરીની ભલામણો અનુસાર મહાનગરોમાં ઓબીસી સમુદાયની વસ્તી 40% છે. જ્યારે 160 જેટલી નગરપાલિકાઓમાં 54 ટકા વસ્તી છે.
આદિવાસીઓના 9 જિલ્લાને બાદ કરતા ગુજરાતમાં અન્ય પક્ષાત વર્ગોની વસ્તી 54 ટકા છે. આ મુજબ ઓબીસી સમુદાયોને અનામત મળવી જોઈએ એવી ટ ભલામણો કરવામાં આવી છે. 50 ટકાની મર્યાદા ચોક્કસ છે.
સમાજશાસ્ત્રીઓ તેમજ અન્ય આગેવાનો સાથે બેઠક કરીને ડેટા એકઠા કર્યા હતા. કમિશન નીમવામાં મોડું થયું હતું. પહેલા તો ભાજપ સરકાર સરકારે ઝવેરી કમિશનની ભલામણો માનવા તૈયાર ન હતી. ખરી ભલામણો તો ભાજપે ફગાવી દીધી છે. ઝવેરીનો ખરો અહેવાલ અમલી કરાયો નથી.
ભાજપે રાજકીય ફાયદા અને નુક્સાનને ધ્યાનમાં રાખીને જાતિ અનામત જાહેર કરી છે.
નોટિફિકેશન આવ્યા બાદ તેનો ખરો અભ્યાસ થશે. સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને ત્યારે સાચો ખ્યાલ આવશે. ત્યારબાદ ન્યાય માટે કાયદાકીય લડાઈ ચાલી શકે છે. રાજકીય લડાઈ શરૂ થશે. રસ્તા પર ઊતરીને અધિકારની લડાઈ પણ થશે.
ભલામણ કરી કે દરેક યુનિટમાં જે પ્રમાણે વસ્તી છે તે મુજબ અનામત આપવામાં આવે. સરકારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલંઘન કર્યું છે. તેમજ જસ્ટિસ ઝવેરીના અહેવાલનો ખરો અમલ નથી. ફક્ત રાજકીય લાભ અને નુકશાનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ઓબીસીની વસ્તી લગભગ 49% જેટલી છે, જેમાં કોળી સમાજ 22% છે. ઠાકોર સમાજની વસતી 8 ટકા છે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તેનો સીધો ફાયદો ઠાકોર સમાજને મળશે કે કેમ તે શંકા છે. ચૌધરી સમાજની ઓછી વસતી છે છતાં ઉત્તર ગુજરાતમાં ઠાકોરના બદલે ચૌધરી સમાજ લાભ ખાટી જશે. જે ગામોમાં પછાત સમુદાયોની વસ્તી વધારે છે તેવા વિસ્તારોમાં તો તેમના પ્રતિનિધીઓ ચૂંટાય છે. તેથી 27 ટકા અનામતની જાહેરાતથી કેટલી પરિસ્થિતિ બદલાશે તે ચૂંટણીઓ કહેશે. અનામતનો રાજકિય લાભ મોટી જાતિઓ લઈ જશે. નાની જાતીઓ તો ઠેરની ઠેર રહેવાની છે.
વિસ્તારમાં કોળી, ઠાકો, ચૌધરી સમાજ વધારે છે અને તે વિસ્તારમાં કોઈ અન્ય ઓબીસી જ્ઞાતિને કેટલો ફાયદો થશે તે હવે જોવાનું રહેશે. જે જ્ઞાતિની વસ્તી ઓછી છે, પરંતુ તે ઓબીસી સમુદાયોમાં આવે છે તો તેને રાજકિય પક્ષો લાભ આપશે નહીં. ખરેખર તો સૌથી વધારે પછાત હોય તેવી જાતિના ઉદ્ધાર માટે તેને ઉમેદવાર બનાવવા ઝવેરી અને પટેલે નક્કી કરવાની જરૂર હતી. તેમ થયું નથી. ખરેખર જે અન્ય પક્ષાત જાતીનું પણ રોટેશન ગોઠવવાની જરૂર હતી. તોજ 150 જાતીઓને તેનો લાભ મળ્યો હોત. આમાં તો 10 કે 15 જાતીના રાજનેતાઓ ફાયદો લઈ જશે.
જાતીગત અનામત આપ્યું છે પણ તેમની રાજકીય શક્તિ વધશે કે કેમ તે શંકા છે. નહીં જ વધે. કારણ કે દલિત અને આદિસાવીની 17 ટકા અનામત છે. તો તેમની રાજકિય શક્તિ વધી નથી. હાલ નોકરીમાં અનામત છે પણ તેમાં તો ચોક્કસ જાતીઓના લોકો જ નોકરી લઈ જાય છે. બોગસ આદિવાસી બનીને નોકરી મેળવી રહ્યાં છે.
ભારતના બંધારણની જોગવાઈ મુજબ ઓબીસીને 27% અનામત ભાજપે 28 વર્ષ પહેલાં પહેલી સત્તા મળી ત્યારે આપવી જોઈતી હતી. તમિલનાડુ રાજ્યમાં ઓબીસી અનામતને 100 વર્ષ પૂરા થયા તેની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાંમોડી મળી છે. એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પહેલા જ 65 ટકા અનામત આપી ચૂકાઈ છે. બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને ઓબીસી અનામત મામલે લિસ્ટ બનાવવા કહ્યું છે. તેનાથી ઘણા લોકોને લાગી રહ્યું છે કે, રાજ્ય સરકાર અનામત આપી શકે છે. તેના દ્વારા કેન્દ્ર લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યું છે. 6 ડિસેમ્બર 2022ના રોજ, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBC ઉમેદવારો માટે 27% અનામત બેઠકો પર રોક લગાવી દીધી હતી.
લોકસભાએ ઓબીસી અનામત અંગે 2021માં 127નો બંધારણીય સુધારો કર્યો હતો. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગની યાદી બનાવવાનો અધિકાર આપવાની જોગવાઈ કરી હતી.
વળી, ભૂતપૂર્વ સૈનિકોને રાજસ્થાનની નોકરીઓમાં આપવામાં આવતી અનામત ઓબીસી અનામતને નબળી પાડી રહી છે. તેથી તેને તાત્કાલિક OBC ક્વોટામાંથી બાકાત કરી દેવી જોઈએ.
27%માં અંદર ઓબીસીની 147 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેમાં 19 જેટલા મુસ્લિમ સમુદાયો પણ ઓબીસીમાં આવે છે. ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધી શકે છે.
મહિલાઓ
અન્ય પક્ષાત વર્ગની મહિલાઓને ટિકિટ મળશે. રાજકિય હોદ્દાનો લાભ મળશે. ગામથી લઈને જિલ્લા સુધી અને બોર્ડ સુધી તેઓ જશે. પણ સવાલ એ છે કે કોણ. અન્ય પક્ષાત જાતિમાં પણ સવર્ણ સમજ જેવો અન્યાય થવાનો છે. ત્યાં વધું પછાત છે તે વધારે પછાત રહેશે. જે વધારે માણસો ધરાવે છે. તે વધારે સત્તા ભોગવશે. અન્યાય અને અત્યાચાર તો નીચી જાતીના ઓછી વસતી ધરાવતાં લોકો પર એટલો જ રહેવાનો છે. કંઈક તો ખામી છે આ અનામતમાં.
ખામ
કોંગ્રેસની ખામ – (KHAM) ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ થિયરી હતી. આ થિયરી પછી ઓબીસી સમુદાય રાજકારણમાં વધારે જોવા મળે છે. પણ તેઓ ખરેખર સત્તા ભોગવી શકતા નથી. ભાજપના રાજમાં આ સમાજને માછલા પ્રધાન, પછાત વર્ગ પ્રધાન, જંગલ પ્રધાન બનાવવા શિવાય મોટા હોદ્દા આપ્યા નથી. કોંગ્રેસના સમાયમાં એક માત્ર આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા હતા. તે પણ માધવ,સિંહના જાતિ આધારીત રાજકારણના કારણે.
અન્ય પંચ
20-12-1972ના રોજ ગુજરાતમાં બક્ષી કમિશન રચવામાં આવ્યું હતું અને 82 જાતિને અનામત આપવાની ભલામણ કરાઈ હતી. તે સમયે ગુજરાતની માધવસિંહ સરકારે અમલ કરવાનું ટાળ્યું હતું. બાદમાં જનતા દળની સરકારે 1-4-1978ના ઠરાવથી અનામત આપી હતી. ત્યાર પછી માધવસિંહ ખામ લાવ્યા હતા. 1990 ના દાયકામાં અગાઉની કોંગ્રેસ સરકારે 10% અનામત કે ભાગીદારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપેલ હતી. પરંતુ થોડા વર્ષો પહેલા અને 2022માં જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટના આદેશ પછી પણ 6 મહિના સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પ્રક્રિયા ન થવાથી ગ્રામપંચાયતોની ચૂંટણી અટકી પડી. સમગ્ર દેશમાં 22.5% અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતીને 22.5% એટલે વસ્તીના ધોરણે ધારાસભા અને સંસદમાં અનામત છે.
જાતિ રાજકારણ
ભારતમાં સૌથી વધારે જ્ઞાતીઓ અને ધર્મ ગુજરાતમાં છે. તેથી હવે જાતિ આધારિત રાજકારણ કોંગ્રેસ અને ત્યાર બાદ મોદીએ અને ભાજપે રાજકીય મત મેળવવા જાતિનું રાજકારણ ખેલ્યું છે. સૌથી વધારે ખરાબ રાજકારણ કોંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી અને તેમને પુત્ર ભરત સોલંકીનું રહ્યું છે. ત્યાર પછી પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું જાતિ આધારિત રાજકારણ રહ્યું છે. ગુજરાતમાં 146 અન્ય પછાત જ્ઞાતિઓ છે. વર્ષ 1931માં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. તેના કોઈ સત્તાવાર આંકડા નથી. 1931ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં 52 ટકા પછાત જ્ઞાતિ હતી.
રાજકારણ
રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ભાજપ એકબીજાની છાતી ફૂલાવીને પીઠ થાબડી રહ્યા
મુખ્ય પ્રધાનનું રાજકારણ
જાતિનું રાજરાણ ખેલ્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી હંમેશાં દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકોને સાથે રાખીને કેવી રીતે ચાલી શકાશે એ માટે પ્રયત્ન કરે છે. આજે એમાં એક કડી 27 ટકા અનામતનો નિર્ણય છે. કોઈપણ બીજી જ્ઞાતિને અસર ન થાય તેની પણ ખૂબ કાળજી રાખી છે અને દરેક વ્યક્તિ મુખ્ય પ્રવાહમાં આવે અને આગળ વધે તે માટે પ્રયત્નના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે.”
ભાજપનું રાજકારણ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માને છે કે, ગુજરાતમાં ઓબીસી સમુદાયની લગભગ 52 ટકા વસ્તી છે. ભાજપમાં અન્ય પક્ષાત જાતિના 50 ધારાસભ્યો છે. ભાજપ હંમેશાં ઓબીસી સમુદાયને સાથે લઈને ચાલે છે. વિધાનસભા અને લોકસભામાં કોઈ ફેર પડશે નહીં. પેસા (PESA) ઍકટમાં 9 જિલ્લા અને 51 તાલુકા છે, ત્યાં વસ્તી પ્રમાણે બેઠકની ફાળવણી થાય અને એ વિસ્તારોમાં 10 ટકા ઓબીસી અનામત લાગુ કરાશે.
મુખ્ય પ્રધાન અને પાટીલ ભલે કહે હકીકતમાં 50 ટકા અનામત થતાં બીજી જ્ઞાતીઓ અને જેન, શીખ, મુસ્લિમ જેવા ધર્મોને તેની અસર થશે. ઉચ્ચ વર્ગને અસર થશે.
કોંગ્રેસ
કોંગ્રેસે પછાત વર્ગોનું સંમેલન બોલાવીને અનામત લાગુ કરવા માટે ભાજપની સરકાર પર દબાણ ઊભું કરીને સરકારને એમ કરવાની ફરજ પાડી હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા માને છે કે, સરકાર 52 ટકા વસ્તી ધરાવતી ઓબીસીને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યો છે. વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. ત્યારબાદ વર્ષ 2022માં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જુલાઈ 2022માં ઓબીસીની 10% અનામત નાબૂદ કરવામાં આવી હતી. ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ્યમાંથી પ્રતિનિધિત્વ નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા આ અંગે લડાઈ લડવામાં આવી. જેથી સરકાર દ્વારા ઝવેરી પંચની રચના કરવાની ફરજ પડી હતી. એસ.ટી. અને એસ.સી. સમાજને તેની વસ્તીના ધોરણે અનામત મળતી હોય તો ઓબીસી સમુદાયોને પણ તેમની વસ્તીના આધારે અનામત આપવામાં આવે તો કોઈ વાંધો નથી. ભાજપની જાહેરાત સ્વીકારી શકાય નહીં. આ જાહેરાત ઓબીસી સમાજને અન્યાયકર્તા છે. ઓબીસી સમાજના હક અધિકારને છીનવવા બરાબર છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જે યુનિટમાં એસ.સી. સમાજને 7% અને એસ.ટી. સમાજને 14 % અનામત આપવામાં આવતી હોય તે યુનિટમાં ઓબીસીને 27% અનામત આપવામાં આવે તો વાંધો નથી. જે યુનિટમાં એસ.સી. સમાજને 2 ટકા અને એસ.ટી. સમાજને 1 ટકા અનામત આપવામાં આવતી હોય, તે યુનિટમાં ઓબીસી સમાજને 47% અનામત આપવામાં આવે તો કોઈ જ વાંધો હોઈ શકે નહીં, તેવી ઝવેરી કમિશનને સરકારને ભલામણ કરી હતી.”
ચૂંટણીઓ નહીં આવવાના કારણે મોટા પ્રમાણમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે.
11 એપ્રિલ 2023માં કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળ્યા અને ઝવેરી અહેવાલ રજૂ કરવા અંગે આદેશ આપવા કહ્યું હતું. ગવર્નરના આદેશ બાદ તા. 13 એપ્રિલ 2023ના રોજ સ્વીકાર કરાયો હતો. એપ્રિલ 2023માં મળેલા કાર્યવાહી ન થતા 22 ઓગસ્ટે ગાંધીનગર ખાતે કોંગ્રેસનું અન્ય પક્ષાત વર્ગોનું સ્વાભિમાન સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તા પર ઊતરી લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા પાંચ પ્રધાનોની સિમિતી નિર્ણય લીધો હતો.
પ્રધાન મંડળ
કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો તેમજ હોદ્દાઓ સંદર્ભે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે. 1993માં આ વિધેયક લાવવામાં આવ્યું હતું. તે કોંગ્રેસે પસાર કર્યું ન હતું.
વસતી
ઝવેરી કમિશન પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં 52 ટકા અને શહેરી વિસ્તારોમાં 46.43 ટકા વસતી છે. આ ડેટાના આધારે OBCની વસતી 50 ટકા અંદાજવામાં આવી છે. આ કમિશને તમામ રાજકીય પક્ષો, ઝોન પ્રમાણે જિલ્લાના પદાધિકારીઓ, કમિટી ચેરમેન, જિલ્લાના પ્રતિષ્ઠીત આગેવાનો તેમજ રાજ્યકક્ષાએ નોંધાયેલા 13 પક્ષોના અભિપ્રાય મેળવ્યા છે. સરકારે આ ભલામણોનો કેબિનેટમાં સ્વિકાર કર્યો હતો અને 27 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચ
રાજ્ય ચૂંટણી પંચ નવેસરથી અનામતના ધોરણોનું જાહેરનામું લાગુ કરીને રાજ્યભરમાં લાગુ કરશે.
જાતિની હાલ અનામત
દલિત – 7%
આદિવાસી – 14%
અન્ય પક્ષાત વર્ગ – હાલ નથી
સ્થાનિક સંસ્થામાં કેટલી ઓબીસી બેઠકો વધશે.
સ્થાનિક સંસ્થા
જિલ્લા પંચાયત 33
105 હાલની બેઠકો
206 નવી બેઠકો
તાલુકા પંચાયત 248
505 હાલની બેઠકો
994 નવી બેઠકો
ગ્રામ પંચાયત 14562
12750 હાલની બેઠકો
22617 નવી બેઠકો
મહાનગરપાલિકા 8
67હાલની બેઠકો
181 નવી બેઠકો
નગરપાલિકા 156
481 હાલની બેઠકો
1270 નવી બેઠકો
11,390 બેઠક વધી છે.
કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસે એવી માગણી કરી હતી કે સરકારે પહેલાં ઝવેરી કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવો જોઇએ, કારણ કે યુનિટ પ્રમાણે ગણતરી થઇ ન હોવાથી ઓબીસી જ્ઞાાતિને અન્યાય થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે, અનામતના મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો અને ઝવેરી કમિશનની ભલામણો સાચા અર્થમાં સ્વિકારવામાં આવી નથી.
ઝવેરી પંચની ભલામણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પક્ષાત વર્ગ માટે અનામત પ્રથા લાગુ કરવા પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ પંચની રચના 22 જુલાઈ 2022માં ભાજપની સરકારે કરી હતી. 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. તેના બદલે બે વાર મુદત વધારી. ફેબ્રુઆરી 2023માં મુદત પૂરી થઈ હતી અને મુદત વધારી નહોતી, છતાં રિપોર્ટ આપ્યો નહોતો.
ભૂપેન્દ્ર પટેલને જુલાઈ 2023માં અહેવાલ આપ્યો હતો. 27.5 ટકા OBC અનામત આપવાની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતના ચૂકાદા, વડી આદાલતોના ચૂકાદાના આધારે આ અહેવાલ તૈયાર કરાયો હતો. દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે. દરેક પક્ષે કહ્યું હતું કે, સરકારી નોકરીની જેમ જ અન્ય પક્ષાત વર્ગોને અનામત રાજકારણાં આપવામાં આવે. ભાજપે ઓબીસીને શક્ય એટલી વધુ અનામતની તરફેણ કરી હતી જ્યારે કોંગ્રેસે ઓબીસી અનામત ક્વોટાનું પ્રમાણ 27 ટકાએ લઈ જવા જણાવ્યું હતું.વસ્તીના આધારે અહેવાલ આપ્યો હતો. ઓબીસીની વસ્તી આધારે બેઠકો નક્કી થશે. SC-ST અને અન્ય પછાત વર્ગ માટે કુલ 50 ટકા અનામતની ભલામણ કરી હતીઓબીસી પંચે વસતીના ધોરણના આંકડાનું વિશ્લેષણ અને પૃથક્કરણ કર્યું હતું. રાજકીય પક્ષો અને જ્ઞાતિના સમુદાયોએ પણ પોતાની રજૂઆતો પંચ સમક્ષ કરી હતી.
આયોગે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોનો અભ્યાસ કર્યા બાદ OBCની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગેનો અભ્યાસ કર્યો હતો. 700 પાનાનો અહેવાલ બે ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં અભ્યાસ અહેવાલ અને બીજા ભાગમાં ભલામણો છે.
પ્રધાન મંડળ
ઝવેરી અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે મંત્રી મંડળના સભ્યોની પેટા સમિતી બનાવી હતી. જેમાં ઋષિકેશ પટેલ કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરીયા જગદીશ પંચાલ અને બચુભાઈ ખાબડ હતા. તેણે અભ્યાસ કરીને પણ 27 ટકા અનામત નક્કી કરાઈ છે.
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતા પહેલા ટ્રીપલ ટેસ્ટની કાર્યવાહી કરવા કરાયેલ નિર્દેશનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. આયોગની રચના કરીને, વોર્ડ પ્રમાણે અનામતનું પ્રમાણ જાળવી અને મહત્તમ મર્યાદા નક્કી કરી હતી.
વોર્ડ કે બેઠક માટે અને રાજકિય હોદ્દાઓ માટે અન્ય પછાત વર્ગ માટે 27% અનામત ગણીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો, હોદ્દાઓ 50% ની મર્યાદા રાખવા માટે સિમિતીએ ભલામણ છે. અગાઉની 10% અનામત નીતિ ચાલુ રાખવા કહ્યું હતું.
ત્રણ મહિના ઝવેરીની ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
શું ફેરફાર થશે?
અનુસૂચિત જનજાતિને અનુસૂચિત વિસ્તારમાં અનામત બેઠકો છે તે ચાલુ રહેશે. હાલની 10 ટકા અન્ય પછાત વર્ગોની બેઠકો છે. ગુજરાત પંચાયત અધિનિયમ તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ પ્રમાણે, અન્ય પછાત વર્ગોને અગાઉની 10 ટકાની નીતિ મુજબ ફાળવેલી આરક્ષિત બેઠકો યથાવત રાખવામાં આવી છે. મહાનગરપાલિકામાં આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી નથી.
આદિવાસી વિસ્તારો
આદિવાસી 9 જિલ્લામાં 51 તાલુકામાંથી 10 તાલુકામાં વસતિ 10 ટકા કરતાં વધારે છે. ત્યાં જે વસતિ પ્રમાણે, બેઠકો ફાળવવામાં આવશે. જો આદિવાસી કે અન્ય વર્ગની વસતિ 25 ટકાથી 50 ટકા વચ્ચે વસતિ હોય તો, બંધારણીય નિયમ પ્રમાણે ત્યાં 50 ટકા બેઠકો ફાળવવામાં આવશે. અહીં ઓબીસી વસતિ હોય તો, હાલની પરિસ્થિતિ પ્રમાણે 10 ટકાનો નિયમ ચાલુ રાખવામાં આવશે.
52 ટકા કેમ નહીં
ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે તેમ છે. તે હિસાબે ગુજરાતના રાજકારણમાં 52 ટકા અનામત અન્ય પક્ષાત વર્ગની હોવી જોઈએ, પણ તેમ સરકારે કર્યું નથી. સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો નક્કી કરવા માટે રાજ્ય સરકારે આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. સમાજિક સંસ્થાઓ વારંવાર 50% અનામત આપવા માંગણી કરતાં હતા.
સરકારની માન્યતા
કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-2021-22 દરમ્યાન ધોરણ-1માં પ્રવેશ મેળવનારાં બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓબીસી મતદારોના આંકડા, બ્રિટિશ સમયની વસતી ગણતરીના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા થયેલી રજૂઆતોના આંકડા, ગ્રામીણ વિસ્તારોમાં 52 ટકા અને શહેરી વિસ્તારોમાં 46.43 ટકા મળી ઓબીસીની વસ્તી રાજયમાં 49.20 ટકા અંદાજવામાં આવેલી છે.
માંડલ લાવ્યા અનામત
1980માં માંડલ કમિશને અહેવાલ આપ્યો તેના 10 વર્ષ પછી વિશ્વનાશ પ્રતાપ સિંહે અમલ કર્યો હતો. વી.પી. સિંહના આ નિર્ણયે ભારતીય રાજનીતિની દિશા બદલી નાખી હતી. હવે મોદી આવું જ કરવા માંગે છે.
7 ઓગસ્ટ 1990ના દિવસે ભારતના તત્કાલીન વડા પ્રધાન વી.પી. સિંહે મંડલ કમિશનની ભલામણો સ્વીકારી અન્ય પક્ષાત વર્ગોને અનામત આપી હતી. સરકારી નોકરીઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરી હતી.
બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બી.પી. મંડલ. તેમણે મંડલ કમિશનનું નેતૃત્ત્વ કરીને ઓબીસીને 27 ટકા અનામત અપાવી હતી.
મંડલ બિહારીના મધેપુરા જિલ્લાના મુરહો ગામમાં રહેતા હતા. ગામ હવે બી.પી. મંડલના નામથી ઓળખાય છે. શિક્ષણ માટે દરભંગાની રાજ સ્કૂલમાં તેઓ ગયા ત્યારે હૉસ્ટેલમાં કથિત રીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોને પહેલાં ભોજન આપવામાં આવતું હતું. ત્યાર બાદ બીજાને અપાતું હતું. આ સ્કૂલમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો બેંચ પર બેસતા હતા. અહીં બી.પી. મંડલે સૌથી પહેલા ન્યાય માટે અવાજ ઉઠાવ્યો.
પટનાની કૉલેજમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ભાગલપુરમાં ન્યાયાધિશ બન્યા હતા. 1952માં ભારતની પહેલી ચૂંટણીમાં મધેપુરથી કોંગ્રેસની ટિકિટ પર બિહાર વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા. તેમના પિતા કૉંગ્રેસના સંસ્થાપક સભ્ય હતા.
તેઓ કૉંગ્રેસ છોડી રામ મનોહર લોહિયાની સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીમાં જતા રહ્યા. લોહિયાએ તેમને પાર્ટીના પ્રમુખ બનાવી દીધા. સોશિયાલિસ્ટ પાર્ટીમાં પણ બી.પી. મંડલ અને લોહિયા વચ્ચે મતભેદ થઈ ગયો. અને તેમણે પાર્ટી છોડી દીધી. ત્યાર બાદ તેમણે શોહિત પક્ષની રચના કરી અને કૉંગ્રેસના સમર્થનથી 1968માં બિહારના મુખ્યમંત્રી બન્યા.
1967માં બિહારમાં પહેલી બિન કૉંગ્રેસની સરકાર બની તેમાં બી.પી. મંડલને સ્વાસ્થ્ય મંત્રી હતા. કૉંગ્રેસના નેતા અંગે કહ્યું હતું કે ‘ભસનારા કૂતરાં કરડતાં નથી’. આ નિવેદનથી સરકાર પડી ગઈ. 50 દિવસ સુધી જ મુખ્ય પ્રધાન રહ્યાં હતા.પછી, બે વાર લોકસભામાં ચૂંટાયા હતા.
ઈંદીરા ગાંધીએ લાદેલી કટોકટી પછી ગુજરાતી પુત્ર મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. તેમણે અન્ય પછાત વર્ગોની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક કમિશનની રચના કરી હતી. જેમાં તેમણે બી. પી. મંડલને કમિશનના અધ્યક્ષ બનાવાયા. બે વર્ષમાં અહેવાલ રજૂ કર્યો. મોરારજી દેસાઈની સરકાર પડી ચૂકી હતી. ઇંદિરા ગાંધીની સરકાર હતી. પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. આ અહેવાલ 10 વર્ષ સુધી પડી રહ્યો હતો.
બાબા સાહેબ આંબેડકર પણ વડોદરામાં ભણેલા હતા. તેઓ પણ અનામત લાવ્યા હતા. હવે મોદી પણ અનામત લાવ્યા છે.
1989માં વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા અને મંડલ કમિશનના અહેવાલ બહાર કાઢી અનામત આપી હતી. ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. પણ માંડલ જીવતાં રહ્યાં ન હતા. તેમનું અવસાન 13 એપ્રિલ 1982માં થઈ ગયું હતું.
રિપોર્ટ કાઢ્યો, અને તેની કેટલીક જોગવાઈઓ લાગુ કરવાનાં ઐતિહાસિક પગલાં ઉઠાવ્યાં.ઓબીસી માટે વી. પી. સિંહ અને બિંદેશ્વર પ્રસાદ મંડલ હતા. આ મુદ્દો ભારતમાં હંમેશ ચર્ચામાં રહ્યો છે.
માંગણી
15થી 18 ટકા સુધી અનામત આપવાની શક્યતા હતી ત્યારે રાજકોટમાં અખીલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા જિલ્લાકલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી. સરકારી નોકરી શિક્ષણમાં 27% ભાગીદારી મેળવે છે. તેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ 27% કે તેથી વધુ અનામત આપો. મહાનગરોમાં જ્યાં આદિવાસી સમાજની ખુબ જ ઓછી વસ્તી છે ત્યાં 35 થી 40% સુધી ઓ.બી.સી. અનામત આપવા માંગણી કરી હતી.
આદીવાસી જિલ્લામાં 20 થી 25% સુધી અનામત આપવા માંગણી કરી હતી. 50 થી 60%ની વસ્તી હોય તો એટલી રાજકીય અનામત આપવી જોઈએ.
જાતીવાદ ગુજરાતની સંસ્કૃત્તિ
શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી ગુજરાતનો પ્રદેશ ‘આનર્ત’ દેશ તરીકે ઓળખાતો હતો. સુરાષ્ટ્ર પણ હતા. ગુર્જર પ્રજા કે જાતિ પરથી ગુજરાત નામ આવ્યું છે. ભાજપના અન્ય રાજ્યોમાં કોઈ એક જાતિ પરથી કોઈ એક રાજ્યનું નામ જોવા મળતું નથી. તેથી ગુજરાતમાં ધોળાવીરા અને લોથલ તથા તેના જેવી 400 પુરાતન સ્થળો પર જાતિઓનું સામ્રાજ્ય જોવા મળતું હતું.
ગુજરાતમાં શાર્યાત. આનર્ત અને રૈવત જેવાં કુલનામો પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલોક ગયો ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસોને મારીને ત્યાં પોતાની સત્તા સ્થાપી ને રૈવત કકુદ્મીએ પોતાની પુત્રી શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામને પરણાવી. આમ મથુરાના યાદવો અહીં આવીને વસ્યા. યાદવો સાથે આભીરો પણ મથુરાથી આવ્યા. ‘સુ’ અને ‘રઠ્ઠ’ જાતિઓ તો યાદવો અને આભીરો પૂર્વે આવેલી લાગે છે, તેેવી જ રીતે કૌલ પ્રજા જેમનો માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ મળે છે એ, પણ યાદવો પહેલાંની જણાય છે.
પુરાણોમાં કેટલીક આર્યેતર જાતિઓના ઉલ્લેખ મળે છે એઓમાં નાગ જાતિ સૌથી જૂની માલૂમ પડે છે. નાગ જાતિ નર્મદાના પ્રદેશમાં ને એક સમયે ભારતના વધુ વ્યાપક વિસ્તારમાં પ્રસરેલી હતી. (વિષ્ણુપુરાણમાં ઉલ્લેખેલી) પ્રાગ્જ્યોતિષ જાતિના લોકોને નાગનો જ એક ફિરકો માનવામાં આવે છે. હૈહયોને નાગજાતિના લોકોને આક્રમણ કરીને હાંકી કાઢ્યા જણાય છે.
જાતિઓ પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાકાવ્ય, હરિવંશ, પુરાણો અને ઉપપુરાણોના સમગ્ર સાહિત્યમાં ગુજરાતની જાતિઓ વિશેના ઉલ્લેખો આવે છે. ગુજરાતમાં પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતો હતો. તામ્રકાંસ્યયુગનો લોથલની સિંધુસંસ્કૃતિનો માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિતત્ત્વોનું સંમિશ્રણ રજૂ કરે છે. પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. ગુજરાત એ શરૂથી જ પરદેશીઓએ વળવાટ કરીને વિકસાવેલો પ્રદેશ છે. 2 હજાર વર્ષથી તો વિવિધ જાતિઓનું ગુજરાતમાં આગમન થતું રહ્યું છે, એના કડિબંધ ઐતિહાસિક પુરાવા મળતા રહ્યા જ છે. સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે જાતિ અને ધર્મ અને સંપ્રદાય છે. ર્ઘ-કપાલ જાતિનાં, ઠીક ઠીક પ્રમાણમાં આર્મેનોઇડ જાતિનાં ને થોડા પ્રમાણમાં ઑસ્ટ્રોલૉઇડ જાતિનાં જાતિત્વ જોવા મળે છે. આમ આ હાડપિંજરોમાં ઘણી બધી જાતિઓનાં હાડપિંજર જોવા મળ્યાં છે, એ પરથી આ સંસ્કૃતિની વસ્તી પચરંગી હતી એ સ્પષ્ટ છે. વળી આજે પંજાબ, સિંધ અને ગુજરાતમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું જાતિતત્ત્વ હડપ્પા, મોહેંજો-દડો અને લોથલના આ પ્રાચીન જાતિતત્ત્વ સાથે ઘણું બધું સામ્ય ધરાવે છે એમ જણાયું છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube