ગુજરાતના મોરબી જિલ્લામાં એક કથિત રીતે શ્રાપિત ગામ છે. અહિંયા રહેનારા લગભગ દરેક વ્યક્તિની સરનેમ એક સમાન છે. લગભગ 700 લોકોના આ ગામમાં દરેક વ્યક્તિની સરનેમ ‘ચરવડિયા’ છે. કહેવામાં આવે છે કે, આ ગામમાં જે લોકોને રહેવું હોય, તેને ચરવડિયા સરનેમ રાખવી જરૂરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક બીજા સરનેમવાળા લોકોએ આ ગામમાં રહેવાની કોશિશ કરી પરંતુ બાદમાં તેમણે બીમારીઓથી ત્રાસી ગામ છોડી દીધુ.
ગામના એક વૃદ્ધ જણાવે છે કે, એવી માન્યતા છે કે, આ ગામ શ્રાપિત છે અને ચરવડિયા સરનેમ વિનાનો કોઇ વ્યક્તિ અહિંયા રહી શક્તો નથી. ઘણા વર્ષો પહેલા કેટલાક પરિવારોએ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાદમાં તેઓ ગામ છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે જણાવ્યું કે, પરિવારમાં લોકો વાંરવાર બીમાર પડવા લાગ્યા હતાં, માટે તેમને ગામ છોડી દેવામાં જ યોગ્ય માન્યું. ગામના 85 વર્ષના મંગાબાપા ચરવડિયા ગામમાં વસવાની કહાની બતાવતા જણાવે છે કે, હજારો વર્ષો પહેલા વાંકાનેરના શાષકોએ ચાર ભાઇઓને આ ગામમાં વસાવ્યા હતા. આ સમગ્ર ગામ તે ચાર ભાઇઓના જ વંશ જ છે.
ગામમાં નથી ગ્રામ પંચાયત
ગામના લોકો જે જમીન પર ખેતી કરે છે તે વાંકાનેરના કોઇ રાજપૂત પરિવારની જમીન છે. આઝાદી બાદ લેન્ડ સિલિંગ એક્ટ અંતર્ગત આ જમીન ગ્રામજનોમાં વહેંચી દેવામાં આવી હતી. ગામમાં પરિવાર જેમ-જેમ વધતા ગયા, તેમ-તેમ ખેતીની જમીન પણ ઘટતી ગઇ. ગામના ઘણા યુવાનો નોકરી માટે ગામથી બહાર શહેરોમાં વિસ્થાપિત થઇ ચૂક્યા છે. બોકાડથંભા ગામમાં કોઇ ગ્રામ પંચાયત નથી. ગામમાં કોઇ પણ વિવાદનો ઉકેલ આપસી સહેમતીથી થઇ જાય છે.